SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫-૬ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો સુકાઈને થરથર ક’પે છે. અપાનવાયુના હીનયાગ થવાથી પક્વાશયમાં રહેલા આમને તે પચાવી શકતા નથી અને તે આમ સમાનવાયુના હીનયાગથી કાઢામાં જઇ રસને અનુગામી થાય છે, તેથી ભ્રાજકપિત્તના અતિયાગ થવાથી તાવ આવે છે. હૃદયમાં રહેતા સાધકપિત્તના અતિયાગ થઇ તેને ઉદાનવાયુના હીનચેાગને લીધે આલેાચક પિત્તમાં જતાં અટકાવ થાય છે, તેથી દુગ્ધ થયેલુ' સાધપિત્ત અત્યંત ખટાશને લીધે હૃદયમાં સાજો કરે છે અથવા ક્ષત કહેતાં ચાંદી પડે છે. સાધકપિત્ત વિદગ્ધ થવાથી મેધા, બુદ્ધિ અને કાંતિના હાસ કરે છે, તેથી મન ચિંતાતુર તથા ઉદાસ રહે છે. જો અપાનવાયુમાં પિત્તના મિથ્યાયેાગ થયા હાય, તા પાતળાઝાડા થાય છે. સાધકપિત્ત દુગ્ધ થવાથી અને અવલ’ખન કને પાનવાયુના અતિયેગે સૂકવી નાખવાથી, દુગધયુક્ત, રક્તમિશ્રિત, ગાંઠાવાળા, કાળા તથા પીળા રંગના કફના પુષ્કળ અળખા પડે છે. આવી રીતનાં આગ તુક કારણેાથી ઉરઃક્ષત રાગ થાય છે. ખીજી રીતે અત્યંત સ્રીસેવનને લીધે સ્ત્રીઓનાં રૂપ, દન, સ્પર્શનની ઇચ્છાથી મન વ્યગ્ર થાય અને અત્યંત સ્ત્રીસભાગથી શુષ્ક તથા ઓજસના અને તે પછી ક્રમે ક્રમે સાતે ધાતુના ક્ષય થાય. તેમાં પણ ઉપર કહ્યા પ્રમાણે વાયુના અતિયાગથી અને કફના હીનચેાગથી પિત્ત દગ્ધ થઇ હૃદયમાં જે ક્ષત (ચાંદી) ઉત્પન્ન કરે છે, તે પણ ઉરઃક્ષત ગણાય છે. જો કે બીજો પ્રકાર માનસિક વેગને આધીન થવાથી ઉત્પન્ન થાય છે, તેા પણ અમારા વિચાર પ્રમાણે તે તે પણ આગંતુકમાંજ ગણી શકાય છે. કારણ કે ક્ષયના પ્રકરણમાં નિદાનશાસ્ત્ર અતિમૈથુનથી ઉત્પન્ન થતા વ્યવાયશેાષી નામના એક ભેદ લખ્યા છે, માત્ર તેમાં ચાંદી પડતી નથી અને ઉરઃક્ષતમાં ચાંદી પડે છે, એટલેાજ ફેર છે. જે ઉરઃક્ષતમાં સ’પૂર્ણ લક્ષણા ન દેખાયાં હોય, જેના જઠે For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy