SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉર:ક્ષત, કાસ, હિક્કા, ધાસ અને સ્વરભંગ ૧૯૭ રાગ્નિ પ્રદીપ્ત હાય, જેના માંસના લેાચા ગળી ગયા ન હોય અને જેને ઉરઃક્ષત થયાને એક વર્ષ વીતી ગયું હોય, તેના વ્યાધિ પરાણે મટે છે. પરંતુ જેને છાતીમાં વેદના થાય છે, લેાહીની ઊલટી થાય છે, ખાંસી સાથે શાષના ઉપદ્રવ હાય છે, અંડકોષ, પાંસળાં, મરડા અને કમ્મરને જાણેમાંધી લીધાં હોય એવાં દુ:ખે છે, મળ સુકાઈ જાય છે અથવા પાતળા ઝાડા થાય છે તથા જેના શ્વાસમાંથી દુર્ગંધ છૂટે છે, તે ઉરઃક્ષતના રાગી ખેંચતા નથી. કાસરાગઃ-(ખાંસી) જેનાં નાક અને મુખમાં ધુમાડા પેસી જવાથી દમ રૂ ધાયા હાય, મેાઢા તથા નાકમાં ધૂળ તથા જેણુ (રજોટી) પેસી ગઇ હાય. છાતીમાં દમ ભરાઇ જાય ત્યાં સુધી કસ રત કરતા હાય, તેને અથવા લૂખા અન્નનું સેવન કરવાથી, ઘણી ઉતાવળથી જમતાં અન્નોદકનુ અ'તરીક્ષ જવાથી (અતરાશ જવાથી) મળમૂત્રાદિકના વેગને દાખી રાખવાથી અને છી’ક આવતી અટકાવવાથી પાનવાયુના અતિયાળ થઈને તે ઉદાનવાયુમાં મળી જવાથી કફ-પિત્ત મળીને એકદમ મુખમાગે બહાર નીકળે, તે વખત રાગીનો અવાજ ફૂટેલા કાંસાના જેવા સંભળાય છે. અર્થાત્ તેને ઉધરસ આવે છે, તેથી વિદ્વાના એ રોગને કાસરાગ કહે છે, એ ખાંસી વાયુથી, પિત્તથી, કથી, ક્ષતથી અને ક્ષયથી એવા પાંચ પ્રકારથી થાય છે. પરંતુ એ પાંચ પ્રકારની ખાંસી પૈકી પ્રથમના ત્રણ પ્રકારની ખાંસી જો કે સાધ્ય છે, પરંતુ તેની ઉપેક્ષા કરી (બેદરકારી રાખી ) નિયમિત ઇલાજ ન કરવામાં આવે, તે તે બધી ખાંસીએ ક્ષયરોગને ઉત્પન્ન કરે છે. ઉપર જણાવેલી ખાંસી એકએકથી ઉત્તરાત્તર ચઢતી અને મળવાન છે. તે પાંચે પ્રકારની ખાંસીનાં જુદાં જુદાં લક્ષણા જાણવાની ઇચ્છાવાળાઓએ માધવનેદાન વાંચીને જાણી લેવાં. અત્રે માત્ર એટલુંજ કહેવાનુ છે કે, વાયુની ખાંસીમાં મળ અને કફ સુકાઇ જાય છે; પિત્તની ખાંસી For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy