SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજીર્ણ ૭. કયાદ રસ-આઠ તાલા શુદ્ધ ગંધક, ચાર તેલા શુદ્ધ પારે, બે તેલા કાંતલેહભસ્મ અને બે તોલા તામ્રભસ્મ બધું ખૂબ બારીક વાટી લોઢાના કઢાયામાં મૂકી નીચે ધીમા તાપે પકવવું. એકરસ થાય એટલે એરંડાના પાન ઉપર તેની પર્પટી ઢાળવી. પછી તેનું ચૂર્ણ કરી તે સર્વને લેખંડના વાસણમાં નાખી તેમાં ૪૦૦ તેલા લીંબુને રસ નાખો અને ચૂલે ચડાવી ધીમા તાપે પકાવવું. પાકતાં પાકતાં રસ ઘાટ થઈ જાય ત્યારે તેને સૂકવી ચૂર્ણ કરવું. પછી પીપર, પીપળામૂળ, ચવક, ચિત્રો અને સૂંઠ એના ઉકાળાની અને ખાટી લૂણીના રસની પચ્ચીસ ભાવના દેવી. પછી ધીરે ધીરે સૂકવવું, એટલે કલ્યાદ નામને રસ તૈયાર થા. ભેજન કર્યા પછી ૧ થી ૪ વાલ પર્યન્ત ખાવો અને ઉપરથી સિંધાલૂણ નાખેલી ખાટી છાશ પીવી. અત્યંત ભારે તથા ઝાઝો રાક લીધે હોય તે સઘળું તરત પચી જાય છે તથા શૂળ, ગોળ, મળબંધ, બરોળ અને ઉદરરોગને મટાડે છે. ૮. શંખવટી -આમલીની છાલની રાખનો ક્ષાર તેલા ૪ અને પંચલવણ તેલા , તેને લીંબુના રસમાં ખલવું. પછી શંખના ટુકડા તેલા ૪ અગ્નિમાં તપાવી ઉપર કરેલા લીંબુના રસમાં નાખવા તે એટલે સુધી કે હાથે મસળતાં ભૂકો થઈ જાય. પછી હિંગ, મરી, સૂંઠ, પીપર એ એકેક તોલે; વછનાગ, ગંધક, પારે એ વા વા તોલે; એ રાવને વાટી બેરના ઠળિયા જેવડી ગોળીઓ કરવી. એ ગોળીથી અગ્નિ પ્રદીપ્ત થાય છે તથા શૂળ, સંગ્રહણ અને અજીર્ણ મટે છે. ૯. અજીર્ણ-ત્રિકટુ, ચિત્રક, સિંધવ, અજમે, જીરું, શાહજીરું, સંચળ તમામ ચીજ સરખે ભાગે અને કુલાવેલી હિંગ ૮ મે ભાગે મેળવી, તે ઘી સાથે આપવાથી અજીર્ણ મટે છે. For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy