SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પઋતુ-દર્પણ ૨૫૫ બબ્બે ઋતુના ગુણ–ધમવાળા હોય છે. હવે આપણે વિચાર કરે જોઈએ કે પ્રાવૃષ ઋતુમાં વરસાદની શરૂઆત થાય છે, પરંતુ તેમાં ગ્રીષ્મઋતુના પાછલા કાળને ભેગ હોવાથી વર્ષાઋતુ ખરેખરી ગણું શકાતી નથી. પણ જે પ્રાકૃષઋતુ પિતાના ગુણધર્મ પ્રમાણે વિતેલી જણાય તે વર્ષાઋતુ અમૃતમય વૃષ્ટિ કરી છયે રસને ઉત્પન્ન કરવા વાળી વૃષ્ટિને લાવશે એમ અનુમાન કરી શકાય છે. આખા વર્ષમાં છ ઋતુઓ પિકી જે સમયમાં વર્ષાઋતુને હીગ, અતિગ કે મિથ્યાગ થયો હોય તે તેને પ્રભાવ આખા વર્ષની બીજી પચે તુઓ ઉપર પડે છે. કારણ કે વર્ષાઋતુને સમગ થવાથી અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થતી નથી, પણ જ્યાં જ્યાં જેટલી વૃષ્ટિની જરૂર છે ત્યાં ત્યાં તેટલી તેટલી વૃષ્ટિ થવાથી જમીનમાં રહેલી વનસ્પતિનાં બીજેને જે જે હતુમાં ઊગવાને, વધવાને અને ફળફૂલ આવી મરી જવાને ગુણ રહેલે છે તે ગુણને પુષ્ટિ આપવાવાળું પાણી તેને મળી જાય છે, અને જે વર્ષાઋતુને હીન થયો હોય એટલે અનાવૃષ્ટિ થઈ હોય તે પ્રથમના વરસાદથી વનસ્પતિઓ જો કે જુદા જુદા ગુણધર્મવાળી છે તો પણ તે ઊગી નીકળે છે અને કેટલીક વનસ્પતિઓનાં બીજ જમીનમાં હોવા છતાં પણ વર્ષાઋતુમાં ઊગવાને ગુણધર્મ નહિ હોવાથી તે મૂછવસ્થામાં સજીવપણે પડી રહે છે. પરંતુ વર્ષાઋતુને હીનગને લીધે આનાવૃષ્ટિ થવાથી વર્ષાઋતુમાં ઊગીને શરદ કે હેમંતમાં અથવા વસંતમાં ફફિલ આપનારી વનસ્પતિઓ સુકાઈ જાય છે. તેમજ જે બીજ મૂ વસ્થામાં સજીવપણે જમીનમાં પડી રહેલાં હોય છે તે પણ પિતાને ઊગવાની ઋતુ આવે તે પણ ઊગી શકતાં નથી અથવા ઊગી નીકળે તે પણ તે રસપૂર્ણ થઈ ફળફૂલને આપવાવાળાં થઈ શકતાં નથી. હવે કર્મસંકાન્તિથી દક્ષિણાયનને પ્રાદુર્ભાવ થાય છે એટલે દિન પર દિન રાત્રિ લાંબી થતી હોવાથી ચંદ્રનું બળ વધતું જાય For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy