________________
સુદર્શન -
સુદર્શન
નિશ્ચય કર્યો, કેમ કે એ મોટી પટ્ટરાણીને પુત્ર હતા.
એ દરમ્યાન મનેરમાના પિતા કલિંગ દેશાધિપતિ વીરસેન અને લીલાવતીના પિતા અવંતિ દેશા- ધિપતિ યુધોજિત એમ બને રાજાઓ અયોધ્યામાં આવી પહોંચ્યા. યુધાજિત રાજા સુદર્શનને રાજયોભિષેક કરવા દે નહિ. એ કહેતો હતો કે સુદર્શનના કરતાં શત્રુજિત ઉમ્મરે મોટો છે. માટે એને હક્ક છે. વીરસેન કહેતો હતો કે શત્રુજિત મોટો હોય તેમાં શું ? પટરાણીને પુત્ર હોવાથી સુદર્શનને જ હક છે. એ પત્ર નાના હોય તદપિ માટે મનાય છે એ વસિષ્ઠાદિને નિર્ણય ખરે છે. વીરસેનનું કહેવું યુધાજિત માન્ય કરતા નહોતા. આ ઉપરથી બને રાજાઓ વચ્ચે યુદ્ધ થતાં તેમાં મનોરમાને પિતા વીરસેન મરા. યુધાજિત પિતાના દેહિત્રને ગાદી પર બેસાડ્યો અને મનોરમાં અને સુદર્શનને કેદ કરું અગર મારી નંખાવું એમ ધારી તેમને બળતું હતું. વિદલ્લ નામના પ્રધાનને એની આ ધારણાના ચેતા પ્રથમથી જ પહોંચ્યા હતા, તેથી તેણે મનેરમાને અને સુદર્શનને અયોધ્યામાંથી નસાડી, બધી હકીકત જણાવી તેમને ભારદ્વાજ ઋષિના આશ્રમમાં સોંપ્યાં. | દેવી ભાગ ૩ કિં. અ૦ ૧૪-૧૫.
યુધોજિતે મને રમા અને સુદર્શનને ખોળવા બધી અયોધ્યા તળે-ઉપર કરી પરંતુ તેમને તેને પત્તો લાગ્યો નહિ. પછી એને રાજ્યની ઉત્તમ
વ્યવસ્થા કરી અને પિતાને દેશ ગયે. થોડા જ કાળમાં એને બાતમી મળી કે મનોરમા અને સુદર્શન ભારદ્વાજ ઋષિને ત્યાં છે. એથી પોતે ત્યાં જઈને કહેવા લાગ્યું કે એ બન્નેને મારે સ્વાધીન કરી ઘો. ઋષિએ કહ્યું કે એ બન્નેએ મારો આશ્રય લીધે છે, માટે હું તમને નહિ આપું. યુધાજિત કહે કે મારા શત્રુઓને તમારે આશ્રય આપ જ જોઈતો નહોતો. એ છતાં આશ્રય આપે તો ભલે, પણ હવે તેમને મારે સ્વાધીન કરી દ્યો. નહિતર મારે બળાત્કારે લઈ જવા પડશે. ભારદ્વાજે કહ્યું : બહુ સારું, તારામાં બળ હોય તે લઈ જા;
મારી ના નથી. / દેવી ભા૦ ૩ & અ૦ ૧૬.
ભારદ્વાજનું વચન સાંભળી યુધાજિતનું મન સહેજ ડગડયું. એણે પોતાના પ્રધાનને પૂછયું કે હવે શું કરડ્યું. પ્રધાને કહ્યું: ભારદ્વાજે તને કહ્યું કે બળ હોય તે લઈ જા, એનો અર્થ એટલે જ દેખાય છે કે એમનું રક્ષણ કરવાને પોતે સમર્થ છે. આમ છતાં પણ જે તું આગ્રહ જ કરીને બળાત્કાર કરીશ તો વિશ્વામિત્રની પેઠે પરાભવ પામીશ. રાજાએ વિશ્વામિત્ર કેણ, કેનાથી અને કેવી રીતે પરાભવ પામ્યો હતો એ પૂછતાં પ્રધાને વસિષ્ઠની ગાય બળાત્કારે વિશ્વામિત્રે લીધા અને પરિણામે હાર પામવાને બધે ઈતિહાસ કહી સંભળાવ્યો. એ સાંભળીને યુધાજિતે પિતાને વિચાર ફેરવ્યો. એણે ઋષિને વંદન કરી પોતાને સ્વદેશ જવાની ભારદ્વાજ પાસે આજ્ઞા માંગી. તે પછી યુલાજિત અવંતી ગયો. આમ ભારદ્વાજના આશ્રયમાં અને એમના આશ્રમમાં હોવાથી ઉપર કહી ગયા તેમ તેને ઉપનયન સંસ્કાર ભારદ્વાજે કર્યો હતો. | દેવી ભા૦ ૩ ૪૦ અ૦ ૧૭.
નાનપણમાંથી જ સુદર્શનના મનમાં આદિશક્તિ ઉપર સંપૂર્ણ ભક્તિભાવ હતો. એ જોઈને ભારદ્વાજે આદિશક્તિની પૂજા સંબંધી સર્વ વિધિ ઉત્તમ પ્રકારે એને શીખવી હતી. ઋષિની પ્રેરણા પ્રમાણે એ ઉપાસના કરતો હતો. આદિશક્તિની એના ઉપર એટલી પ્રસન્નતા થઈ હતી કે, તેવામાં કાશીના સુબાહુ નામે રાજાની કન્યા શશિકલાને સ્વપ્નમાં જઈને એને સુદર્શનને પરણાની આજ્ઞા કરી. સ્વપ્ન જોઈને શશિકલા જાગી ગઈ અને સઘળી બીના પિતાની માતાને જણાવી. એણે પોતાના પતિ ને આ વાત કહેતાં એણે કહ્યું કે એ તે ઠીક; પણ એ રાજ્યભ્રષ્ટ થયેલાને હું મારી કન્યા શી રીતે પરણાવું? પછી પિતાની કન્યા પરણવા યોગ્ય થઈ ધારી એણે એને સ્વયંવર કરવાનું ઠરાવ્યું. એણે અનેક રાજાઓને તેડાવ્યા. શશિકલાએ જોયું કે પોતાનો બાપ પિતાની ઈચ્છાનુસાર વતી તે નથી, તેથી તેણે પોતાનો નિશ્ચય ઓર દઢ કર્યો. | દેવીભા૦ ૩ સર્કઅ૦ ૧૮.