________________
સીતા
સીતા
સઘળા પુત્રોને પણ મંડેલા માથાવાળા અને તેના
પડેલા મેં દીઠા હતા. વળી રાવણને વરાહ પર બેસીને, ઈદ્રજિતને સુવર પર બેસીને અને કુંભકર્ણને ઊંટ પર બેસીને દક્ષિણ દિશા પ્રતિ જતા જોયા હતા. માત્ર એકલા વિભીષણને જ સફેદ છત્ર ઓઢી ચાર મંત્રીઓની સાથે આકાશમાં ગમન કરતો જોયો હતો. તેની પાછળ રાતાં વસ્ત્ર પહેરીને રાક્ષસોને મોટો સમાજ ચાલતા હતા અને આગળ વાજા વાગી રહ્યાં હતાં. વળી હય, રથ, ગજ સહિત આ લંકાને, મેં ભાંગી ગયેલાં તારણ સાથે સમુદ્રમાં ડૂબતી જોઈ છે. વળી તેલ પીને પ્રમત્ત થયેલી અને ખડખડાટ હસતી રાક્ષસ રાજાની સવે રાણીઓને મેં ભસ્મ થઈ ગયેલી લંકામાં મોટે સ્વરે, હાય નાથ, હાય નાથ ! એમ પિકાર શ્રાદ્ધ કરતી સાંભળી અને કુંભકર્ણાદિ રાક્ષસ સુધ્ધાંને રતાં વસ્ત્ર પહેરી ગોમયના ખાડામાં પડતા જોયા હતા.
હે રાક્ષસીઓ! તમે હવે દૂર ખસો અને જુઓ કે, રામ સીતાને મળે છે કે નહીં. જો તમે એને પડશે તે, પરમ પરાક્રમી રામ, તમને અને સઘળા રાક્ષસોને મારી નાખશે, કારણ કે પિતાની પ્યારી અને માનીતી, વળી વનમાં સાથે આવેલી સીતાને તમે આ પ્રમાણે તિરસ્કાર કરો છો તથા પીડે છે તે, તે સાંખી રહેશે નહિ. માટે તમે હવે ફૂર વચન કહેવાં મૂકી ઘો અને એનું સાંત્વન કરે. મારું કહેવું માને તો આપણે બધા વૈદેહીની પ્રાર્થના કરીએ કે, તે આપણે બધાં પાપ ક્ષમા કરે. આ દુખિત થયેલી સીતાના સંબંધમાં મને આવું સ્વપ્ન આંધ્યું તેથી હું માનું છું કે, એ અનેક દુઃખથી મુક્ત થશે અને ઉત્તમ સુખને પામશે. હે રાક્ષસીઓ! તમે આ સીતાને પીડી છે, છતાં એને પ્રાર્થના કરે અને એને કઠોર વચને કહેવાં મૂકી દે, કારણ કે રામની તરફથી હવે રાક્ષસોને દારુણ ભય આવી પડયું છે, એમ નક્કી માનજો. હે રાક્ષસીઓ! તમે પગે પડી, જનકાત્મજાને પ્રસન્ન કરશે તે તે આવા ભયથી આપણું રક્ષણ કરવાને ૩૪
માટે સમર્થ છે. વળી આ વિશાલાક્ષી સીતાનાં અંગોમાં વિરૂપતાનું એક સૂક્ષ્મ ચિહ્ન પણ મને દેખાતું નથી. હાલની સ્થિતિમાં સ્નાનાદિ રહિત હોવાથી જ તેની કાન્તિમાં આ જ રાતમાં ફેર થયેલ છે – એ રૂપી તેને દુઃખ છે, બીજું નથી. દુઃખ ખમવાને માટે અગ્ય આ સીતાને મેં અંતરિક્ષમાં બેઠેલી જોઈ, તેથી મને એમ લાગે છે કે, હવે એની અર્થસિદ્ધિ પાસે છે; અને રાક્ષસરાજ રાવણને નાશ અને રામને જય એ પણ પાસે જ આવેલ છે. આ સીતાનું હવે પ્રિય થયેલું આપણે થોડા કાળમાં સાંભળીશું; તેનાં મને શુકન થાય છે. જુઓ તે ખરી, એનું કમળપત્ર જેવું વિશાળ વામ નેત્ર ફરકે છે અને આ ચતુર સ્ત્રીને પુલકિત થયેલો ડાબો હાથ પણ જરા જરા ફરકે છે. વળી હસ્તિની સૂંઢ જેવી એની વામ જધા ફરકે છે, તે દેખાડે છે કે રામ હવે સમીપમાં જ આવ્યા છે. વળી આ શાખાઓમાં બેઠેલાં પક્ષી, વારંવાર સાંત્વના કરે એવા શબ્દ કરે છે અને તેની શુભ સૂચવતી વાણી તથા હર્ષ આપણને પ્રેરણું કરતાં હોય કે સીતાને પીડો નહિ એમ લાગે છે.'
ત્રિજટાના આમ બોલવાથી સ્વામીને વિજય થશે એમ જાણી, હર્ષ પામેલી તથા જરા લજવાતી સીતા મૃદુ સ્વરે બોલી કે જે એ વાત સાચી હશે તે હું તમે સર્વનું રક્ષણ કરીશ.”
બધી રાક્ષસીઓની ઉપરી ત્રિજટા રાક્ષસી સીતાની સંભાળ લેતી, ધીરજ આપતી અને વખતોવખત રામના સમાચાર પણ કહેતી. રાક્ષસીઓ સીતાને એટલું સતાવતી કે સીતાએ એક વખત એ દુખે પતે ગળે ફાંસો ખાઈ મરી જવાને પ્રયત્ન કર્યો હતેા. સુભાગે તે જ વખતે સીતાની શોધને અર્થે ગયેલે હનુમાન એને પત્તો મેળવીને અશોકવાટિકામાં આવેલ તે ઝાડ ઉપર સંતાઈને બધું જોતે હતો. તેણે સીતાને આત્મહત્યા કરતાં દેખીને પિતાની પાસેની રામચંદ્રની વીંટી તેની આગળ નાખી. સીતાએ વીંટી ઓળખી અને આશ્ચર્યચકિત થઈ