________________
સાવિત્રી
૨૫૯
સાવિત્રી
હમણાં જ આવી છે. હવે એને શે વિચાર છે તે જોઈએ. નારદે કન્યાને પૂછ્યું કે તું કયા વર પસંદ કરીને આવી છે તે કહે. સાવિત્રીની સાથેના વૃહ મંત્રીએ કહ્યું કે સા૨વદેશના ઘુમક્સેન રાજા ચક્ષુહીન હોવાથી એના વારસોએ એને કાઢી મકયો છે તેથી તે અરણ્યવાસ કરીને રહ્યો છે. એ રાજને સત્યવાને નામે કુમાર સ્વરૂપવાન અને ગુણવાન છે, તેને સાવિત્રીએ પસંદ કર્યો છે.
નારદ એ સાંભળીને સત્યવાનનાં વખાણ કરીને બોલ્યા કે એ ખરું છે. એ રાજપુત્ર ઘણે ઉત્તમ છે, પણ એ વાતમાં એક અડચણ છે. મારે બોલવું તો જરૂરનું નથી પણ સાવિત્રીના હિતની ખાતર મારે કહેવું જ જોઈએ.
અશ્વપતિએ કહ્યું કે મહારાજ! શી અડચણ છે તે કહેવાની કપા કરે. નારદે કહ્યું કે એ મારા સંવત્સયુ છે, એટલે એ માત્ર એક જ વર્ષ જીવશે. આ સાંભળીને અશ્વપતિએ ભય પામીને સાવિત્રીને કહ્યું, આ નારદ ઋષિ કહે છે તે તું સાંભળે છે ? મને તે લાગે છે કે તું બીજાને પસંદ કરે તે ઠીક. એ સાંભળીને સાવિત્રીએ કહ્યું કે હવે તે મેં પસંદ કર્યો તે કર્યો. એ ગમે તેવો હશે તે પણ હું બીજા કોઈને પરણનાર નથી. નારદ બોલ્યા કે રાજા, જે સાવિત્રીને એવો નિશ્ચય જ છે તે ભલે એ વરે. આમ કહીને નારદ ઋષિ ત્યાંથી ચાલી નીકળ્યા. / ભાર૦ ૧૦ અ૦ ૨૯૪.
અશ્વપતિએ વિવાહની સામગ્રીઓ તૈયાર કરાવડાવી અને સાવિત્રીને સાથે લઈને પોતે ઘુમસેન રાજ જ્યાં હતા ત્યાં તપવનમાં ગયો. એણે ઘુમસેનને કહ્યું કે તારા પુત્રને મારી કન્યા આપવા સારુ હું આવ્યો છું. ઘુમસેન કહે હું રાજપાટ વગરને થઈને આ અરણ્યમાં આવી નઠારી સ્થિતિમાં રહું છું, એવી હાલતમાં આ વિવાહ કેમ થાય? અશ્વપતિએ કહ્યું કે હું સઘળી પરિસ્થિતિને વિચાર કરીને જ આવ્યો છું એટલે હવે તમારે કશો વિચાર કરવાનું રહેતું જ નથી. ઘુમસેને આ સાંભળીને કહ્યું : ભલે, તમારી ઈચ્છા પ્રમાણે થાઓ.
પછી અશ્વપતિએ પોતાની કન્યા સાવિત્રીને સત્યવાનને પરણાવી. ચાર દિવસ સુધી આનંદે સમારંભ કરી, સાવિત્રીને ત્યાં મૂકી પોતે પિતાને નગર પા આવ્યો.
રાજાના વિદાય થયા પછી સાવિત્રીએ પોતાના અંધ શ્વશુરની, સાસુની અને પતિની, જાણે દેવ હેય તેમ સેવા કરવા માંડી. શ્વસુરપક્ષને સાવિત્રીથી પરમ સંતોષ થયે અને પોતે પણ સુખી થઈ. માત્ર પતિના આવરદાની વાતનું જ્યારે જ્યારે મરણ થાય ત્યારે એને ઘણું દુઃખ થતું. તથાપિ એ કેઈનીયે આગળ એ બાબતમાં ઊની વરાળે કાઢી નહિ. | ભાર૦ વ૦ અ૦ ૨૯૫
આમ પોતાના પતિના આયુષ્યમાંથી કેટલું રહ્યું એ રોજ ગણતાં ગણતાં એને જણાયું કે હવે માત્ર ત્રણ જ દિવસ જીવતરના રહ્યા દિવસ પતે અનશનવ્રત કર્યું. ચોથે દિવસે એમ બન્યું કે આશ્રમમાં લાકડાનો કુહાડો લઈ લકડાં કાપવા સાર એ અરણ્યમાં જવા નીકળ્યો. સાવિત્રીએ પોતાનાં સાસુ-સસરાને વિનંતી કરી કે મને વનશ્રી નીરખવાની આકાંક્ષા છે તે સારુ મને સત્યવાન સાથે અરણ્યમાં જવા ઘો. આપની આજ્ઞા હેય તે હું જાઉં, પણ સત્યવાનના મરણની હકીક્ત એણે કોઈને બિલકુલ જાણવા દીધી નહિ. ઘુમસેનને સાવિત્રી ઉપર ઘણી જ પ્રીતિ હતી. એણે આજ્ઞા આપવાથી સાવિત્રી સત્યવાનની સાથે અરશ્યમાં ગઈ ભા૨૦ વ૦ અ૦ ૨૦૬,
અરણ્યમાં જઈને સત્યવાને લાકડાં કાપ્યાં. ફળ, મૂળ વગેરે એકઠાં કર્યા અને ઘેર જવાની તૈયારી કરતો હતો તેવામાં એના મસ્તકમાં શૂળ આવવા જેવું થવાથી તે ત્યાં જ એક ઝાડ નીચે બેઠા, મારા માથામાં શૂળ આવે છે એવું સાવિત્રીને એણે કહેતાં જ સાવિત્રીએ એનું મસ્તક પિતાના મેળામાં લીધું. માથું ખેળામાં લેતાં જ સત્યવાનને નિદ્રા આવી ગઈ. આજે જ એનું મૃત્યુ થવાનું હતું.
સાવિત્રી પતિનું મસ્તક પિતાના મેળામાં