________________
શિશુપાલ
૨૧૪
શિશુપાલ
હેય તે ભલે કહે, પરંતુ મારા મનથી તે તું મૂળે રાજા જ નથી. જે ભૂખ તારી પૂજા કરવાનું કહે છે તેને જો, હમણાં જ હું મારી નાખું છું. એને શું વધારે કહું ? તારી મરજી હોય તે તું પણ મારી સામો વઢવા આવી જા; જોકે હું તારો વધ કરું છું કે નહિ ? આ પ્રમાણે જરાસંધને વધ વગેરે અનેક વાત કાઢી કાઢીને એણે કૃષ્ણની પાર વિનાની નિંદા કરી.
અત્યાર સુધીના બનાવ બનતાં કૃષ્ણ છાનામાના બેસી રહ્યા. પણ જ્યારે ઉપર કહેલાં વાકયે કહીને શિશુપાળ છાને રહ્યો એટલે કૃષ્ણ મંદ અને મૃદુ
ત્યાર પછી કેટલેક કાળે ઈદ્રપ્રસ્થમાં યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ આરંભ કર્યો. એ સમારંભમાં દેશદેશના રાજાઓ એકઠા થયા હતા. શિશુપાલ પણ ત્યાં આવ્યો હતો. તે સમયે બધામાંથી અગ્રસ્થાને પ્રથમ પૂજા કેની કરવી યોગ્ય છે, એ સંબંધે ઊહાપોહ થયો. ભીમે મત આપ્યો કે અગ્રપૂજા કૃષ્ણને ઘટે છે. આ ઉપરથી યુધિષ્ઠિર કૃષ્ણને ગંધ સમવા ઊઠયા. શિશુપાલથી આ દીઠું ખમાયું નહિ. એ ભોમની અને કૃષ્ણની નિંદા કરવા માંડી. પણ કોઈએ એના બોલવા ઉપર લક્ષ જ આપ્યું નહિ. એ જોઈને એ એ તે ગુસ્સે થયે કે સભામાં ઊભા થઈને ઘાંટો પાડીને કહેવા લાગ્યું કે અરે, અહીં મોટા મોટા દેવર્ષિઓ, બ્રહ્મર્ષિઓ અને રાજર્ષિઓ વિદ્યમાન છતાં, એક ગોવાળના પુત્રની પૂજા થાય છે, એ સારું દેખાતું નથી ? આમ કહીને એણે ભીષ્મને અનેક અપશબદો સંભળાવ્યા. એ સાંભળીને ભીમના પક્ષના રાજાઓ લડવાને તત્પર થઈ ઊભા થઈ ગયા. આ લઈને ભીમને ઘણે દેધ આવ્યો અને શિશુપાળ પર ધા. પણુ દ્રોણાચાર્યે એને પકડીને બેસાડો. ભીષ્મ ભીમને શાંત પાડશે, એમણે શિશુપાળના જન્મકાળની હકીકત સંભળાવીને કહ્યું કે તારે એ શું બોલે છે તે તરફ ધ્યાન જ આપવું નહિ. એનો મરણ સમય પાસે આવ્યો છે. માટે જ એ આવી બડકંડ કરે છે. એ સાંભળીને ભીમ શાંત થઈને બેઠા
ભીમને શાંત થઈને મૂગો બેઠેલો જોઈને શિશુને પાળને વધારે આવેશ આવ્યું. એણે ભીમને કહ્યું : અરે, તમે ભીમને વાર છે. શું કરવા ? એને મારા પર ધસી આવવા તે ઘો ! પછી જુઓ કે એના પ્રાણ લઈ લઉં છું કે નહિ ? પુનઃ ભીષ્મને સંબંધીને કહ્યું હે મૂર્ખ, ડેકરા, નપુંસક ભીષ્મ. આ સભામાં અનેક મહાન મહાન વ્યક્તિએ અને રાજ છતાં તું આ ગોવાળિયાના પુત્રની પૂજા અને સ્તુતિ કરીને બીજાઓનું અપમાન કરે છે ? તારી આ કરણી બદલ શું કહીએ ? પછી કૃષ્ણને અનેક દુર્ભાષણથી વધાવી લઈ કહેવા લાગ્યું કે અરે, તું તે કેવળ નીચ દાસ છે. તને જે રાજા કહેતું
તેઓ બોલ્યા : અહો સઘળા ઋષિ છે અને રાજાઓ! આ શિશુપાલ મારી ફેઈને પુત્ર છે. એ અમારા સાત્વત કુળ ઉપર લાવીને અમને ઘણા પ્રકારે પીડા કરી છે. એણે મારી દ્વારકાપુરીને આગ લગાડી, ભોજરાજા રૈવતક પર્વત પર કીડા સારુ ગયા હતા ત્યારે એમને એકલા જોઈને બાંધીને લઈ ગયે. મારા પિતા વસુદેવ યજ્ઞ કરતા હતા ત્યારે યજ્ઞના અશ્વને મારીને એણે યજ્ઞમાં વિદન કર્યું, બેભુ નામના યાદવની સ્ત્રીનું તેમ જ ભરાનું અનીતિભર્યું હરણ કર્યું. | ભાર૦ સ૬૮–૧૮.૦ આ સિવાય પણ એણે મારી પૂંઠ પાછળ મારા ઘણુ અપરાધ કર્યા; મારી ફોઈને મેં વચન આપ્યું હતં. તદનુસાર એનાં કન્ય સામું ને જોતો એને ક્ષમા કરી છે. હાલ પણ તમારા બધાની સાંનિધ્ય ભીમાદિ શ્રેષ્ઠ પુરનું તેમ જ મારું અપમાન કર્યું છે. એના અપરાધે ઉપર થઈ ગયા છે. હવે માટે એના અપરાધ હું સહન નહિ કરું. આમ બોલીને એમણે પોતાનું દિવ્ય ચક્ર શિશુપાલ તરફ ફેંક્યું ! ચક્ર વડે એનું મસ્તક ધડથી છૂટું પડી એ સભામાં જ તત્કાળ મરણ પામ્યા | ભાર૦ સ૦ અ૦ ૪૫; ભાગ- ૧૦ ૪૦ અ૦ ૭૪.
શિશુપાળને ધૃષ્ટકેતુ, સુકેતુ, કરકષ, શરભ વગેરે પુત્રો અને રેણુમતી નામે એક કન્યા હતી. શિશુપાલના મરણ બાદ ધૃષ્ટકેતુ રાજ્યગાદી પર બેઠે. એણે રેણુમતી યુધિષ્ઠિરના ભાઈ નકુળને વરાવી. એના