________________
શ્રીલાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના નિયામક અને મારા મિત્ર પંડિત પ્રવર સ્નેહી ભાઈ દલસુખભાઈ માલવણયાને હું સવિશેષ ઋણી છું. તેમણે શ્રોલાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પુસ્તકાલયમાંથી મારે જે જે વ્યાકરણે તેમ જ કેશગ્રંથ જોઈતા હતા તે તમામ વાપરવા આપી મારું કામ વિશેષ સરળ બનાવવામાં સ્નેહાદ્રભાવે ખુબ જ સહાયતા કરેલ છે.
આ રીતે અનેક મહાનુભાવોના સહકારથી આ કામ પૂરું કરી થઈ શકેલ છે એટલે તેઓ તમામ મહાનુભાવોના મંગલમય સ્મરણ સાથે ફરીવાર બોર્ડના વર્તમાન અધ્યક્ષશ્રીને કૃતજ્ઞભાવે યાદ કરી પ્રસ્તુત પ્રકાશ્યમાન ગ્રંથની પ્રસ્તાવના આરંભ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org