SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ તેરમો જૈન સાહિત્ય સમારોહ__ –– ––– – – ––––– સિદ્ધ પરમાત્માએ ચાર ઘાતિ અને ચાર અઘાતિ એમ આઠ કર્મોનો ક્ષય કરેલો હોય છે. એટલે કર્મક્ષયની દૃષ્ટિએ મોક્ષગતિ પ્રાપ્ત કરવાની દૃષ્ટિએ સિદ્ધ પરમાત્મા અરિહંત પરમાત્મા કરતાં ચડિયાતા છે. સિદ્ધ પરમાત્મા અશરીર, અકર્મા અને અવિનાશી છે. અરિહંત પરમાત્મા દેહધારી હોય છે. અને એમનો દેહ પણ અંતે તો નાશવંત છે. અરિહંત પરમાત્માને હજુ ચાર અઘાતિ કર્મ ઉદયમાં વર્તતાં હોય છે. સિદ્ધ પરમાત્મા સર્વથા અકર્મા છે. અરિહંત પરમાત્માને હજુ નિર્વાણપદ પામવાનું, સિદ્ધ થવાનું બાકી હોય છે. કાળ ભક્ષક છે અને તે અરિહંત પરમાત્માને પણ છોડતો નથી. પરંતુ સિદ્ધ પરમાત્મા તો કાળનું પણ ભક્ષણ કરનારા છે. અર્થાત્ અવિનાશી છે. આમ સિદ્ધ પરમાત્મા ચડિયાતા હોવા છતાં નવકારમંત્રમાં આપણે સર્વપ્રથમ નમસ્કાર અરિહંત પરમાત્માને જ કરીએ છીએ, કારણ કે સિદ્ધ પરમાત્માની ઓળખ કરાવનાર અરિહંત પરમાત્મા જ છે. અરિહંત પરમાત્મા તીર્થ પ્રવર્તાવે છે, જીવોને મોક્ષમાર્ગ બતાવે છે અને એ તરફ દોરી જાય છે. અરિહંત પરમાત્મા ન હોય તો જીવ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં અટવાતો હોય છે. સિદ્ધગતિ એટલે શું એની પણ એને ખબર ન હોય. આમ સિદ્ધ પરમાત્માને ઓળખાવનાર અરિહંત પરમાત્મા હોવાથી આપણે અરિહંત પરમાત્માને પહેલો નમસ્કાર કરીએ છીએ. લગ્નચર્ય, બ્રહ્મચર્ય, આનંદચર્ય : પ્રા. મલુકચંદ રતિલાલ શાહે આ વિષય પર બોલતાં કહ્યું હતું કે માનવજીવનનું ધ્યેય મોક્ષપ્રાપ્તિનું છે અને મોક્ષપ્રાપ્તિની સાધના માટે જેના ધર્મમાં બ્રહ્મચર્યની ક્રમિક ઉપાસનામાં શ્રાવક કે ગૃહસ્થ માટે ચોથા અણુવ્રત દ્વારા સ્વદારા–સંતોષની વાત પર ભાર મુકાયો છે. અને પોતાના પરિણિત પાત્ર સિવાય અન્ય કોઈ પણ ચેતનવ્યક્તિ કે જડ પદાર્થ સાથેના સંબંધ, સ્પર્શ કે ચેષ્ટા પર નિષેધ મૂકવામાં આવ્યો છે. સમત્વ : આ વિષય પર વક્તવ્ય આપતાં ડૉ. શિલ્પા નેમચંદ ગાલાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની બ્રાહ્મણ અને શ્રમણ એમ બે મુખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014004
Book TitleJain Sahitya Samaroha Guchha 4
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages155
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy