________________
બારમો જૈન સાહિત્ય સમારોહ
અહેવાલ : ચીમનલાલ એમ. શાહ, “કલાધર
પૂર્વભૂમિકા :
કછ માત્ર ગુજરાતને જ નહિ ભારતને અને વિશ્વને એક વિશિષ્ટ પ્રદેશ છે. એના જે ભવ્ય ભૂતકાળ, સાંસ્કૃતિક સમૃદ્ધિ, દિલેરી અને પરાક્રમોને ઈતિહાસ ભાગ્યે જ વિશ્વને કોઈ અન્ય પ્રદેશ ધરાવતો હશે. કચ્છના લોકસાહિત્યકાર દુલેરાય કારાણુએ એથી જ કહ્યું છે: સંત સૂતા ભલા ભક્ત જે ભોમમાં, પીર પોઢયા જહાં ઠામ ઠામે; ડુંગરે ડુંગરે દેવની ડેરીઓ, ખાંભીમા ખાંધિની ગામગામે, કેક કવિઓ તણું ભવ્ય ઉરભાવની,
જ્યાં વહી સતત સાહિત્ય સરણી: ભારતી માતને ખોળલે ખેલતી, ધન્ય હો ! ધન્ય હે ! કછ ધરણી !
અનેકાનેક નરવીરની જન્મદાત્રી કચ્છની ધરતી નગભાં ભૂમિ છે. સમસ્ત જગતમાં પ્રખ્યાત થયેલા એવા નરપુંગવોને એણે જન્મ આપે છે. અનેક આસમાની-સુલતાની આફતોને સામને કરીને ખડતલ બનેલી કચ્છની ધરણું વીર પ્રસુતા છે. અહીં થઈ ગયેલા સંત, મહત, સતીએ, શુરાઓ, દાનવીર દાતાઓ, કવિઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org