________________
૨૨
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ? મોટામાં મોટું ગુણાવલંબન છે. ભાવનમસ્કાર હોવા જોઈએ. કર્મની પરાધીનતામાંથી મુક્ત થવું એ જ ખરા પુરુષાર્થ છે. એ માટે નમસ્કાર કરવાનું છે. જેને પોતાનું આત્મજ્ઞાન થઈ ગયું છે તે વિધાન છે, તે સમ્યફ દષ્ટિ છે.” અમર સંવાદે
પ્રારા તારાબહેન ર. શાહે “ગૌતમસ્વામી અને મહાવીર સ્વામી વચ્ચેના સંવાદ” વિશેના પિતાના વક્તવ્યમાં “સંવાદ'નાં કેટલાંક દૃષ્ટાંત આપીને જણાવ્યું હતું, કે ગૌતમસ્વામીના જીવનમાં વિનયનું તવ કેટલું બધું જોવા મળે છે? એમણે ભગવાનને પૂછેલા કેટલાય. પ્રશ્નોના ઉત્તર પોતે તો જાણતા હતા. એટલે એમના કેટલાય પ્રશ્નો. પિતાને જાણવા માટે નહિ પરંતુ સમવસરણમાં બેઠેલા અનેક છની જિજ્ઞાસા સંતોષાય એ માટે ભગવાનને પૂછવામાં આવેલા
ભગવાન મહાવીર સ્વામી પણ વાત્સલ્યથી “હે ગોયમ !” એમ. સંબોધન કરીને જ પ્રશ્નનો ઉત્તર આપતા હતા. ગૌતમસ્વામી અને મહાવીરસ્વામી વચ્ચે થયેલા આ પ્રશ્નોત્તરમાં જૈન ધર્મને સારુ આવી જાય છે.” જૈન દર્શન અને મને દૈહિક રેગે
શ્રી નેમચંદ એમ. ગાલાએ “જેને દર્શન અને મનોદૈહિક રોગે' વિશે પિતાના વક્તવ્યમાં કહ્યું હતું, કે આ સૃષ્ટિ સ્નેહથી. ચાલે છે, સામર્થ્યથી નહિ. આવેગોથી સંચાલિત છે. બુદ્ધિથી નહિ. મનના વિવિધ આવેગે, સંવેદને, ઊર્મિઓ એટલે કે રાગદ્વેષ જેવી. વૃત્તિઓ અને શારીરિક માંદગી વચ્ચેના સંબંધના વૈજ્ઞાનિક અભ્યાસ અને અન્વેષણને “સાઈકેસોમેટિક” અથવા મને દૈહિક રોગે કહેવામાં આવે છે. શરીરને માટે સૌથી વધુ હાનિકારક કષાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org