________________
બ્રહાચર્યસાધનાની જૈનશૈલી
"૨૪૫ उपभुक्र विषं हन्ति, विषयाः स्मरणादपि । હિન્દુ ધર્મગ્રન્થ વગવાસિષ્ઠમાં વાસનાનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કેઃ दृढभावनयान्यकृपूवापरविचारणम् । यदादान' पदार्थस्य, वासना સા નિરાતે છે
આગળપાછળને વિવેકવિચાર છૂટી જઈને તીવ્ર આવેગથી પદાર્થને ગ્રહણ કરવામાં આવે તેને વાસના કહે છે.
હિન્દુ ધર્મમાં બ્રહ્મચર્યના ત્રણ અર્થ જોવા મળે છે. “ બ્રહૈ' એટલે (1) વય, (૨) આત્મા અને વિદ્યા. તથા “” એટલે (૧) રસણ, (૨) ચિંતન અને (૩) અધ્યયન. આ બંને શબ્દોને અનુક્રમે એડવાથી બ્રહ્મચર્યના આ પ્રમાણે ત્રણ અર્થ થાય છેઃ (૧) વીર્ય ૨ક્ષણ, (૨) આત્મચિંતન અને (૩) વિદ્યાધ્યયન. ત્યાં પણ વીર્યરક્ષણના અર્થમાં બ્રહ્મચર્ય શબ્દ વધુ વ્યાપક અને માન્ય બનેલ છે.
શ્રી પાર્શ્વનાથની પરંપરામાં ચાર મહાવ્રતો પ્રચલિત હતા. એટલે કે બ્રહ્મચર્યને અપરિગ્રહવતમાં સમાવેશ થઈ જતો હતો. શ્રમણસંસ્થાની બ્રહ્મચર્ય પાલન અંગેની શિથિલતા દૂર કરવા, બ્રહ્મચર્ય પર ભાર મૂકવા ભગવાન મહાવીરે બ્રહ્મચર્યને અપરિગ્રહથી જુદું પાડીને પાંચ મહાવ્રતાના આચારને ઉપદેશ કર્યો. આચારાંગ સૂત્રના નીચેના ઉલ્લેખથી સમજાય છે કે કેઈક કાળે માત્ર ત્રણ મહાવ્રતો જ અહિંસા, સત્ય અને અપરિગ્રહ જ પ્રચલિત હતા. અદત્તાદાન અને બ્રહ્મચર્યને અપરિગ્રહમાં સમાવેશ થયો હતે. જ્ઞાન વિનિ વાહિયા છે.
(પ્રાણાતિપાત મૃષાવાડ પરગ્રસ્થ ! ..... अदत्तादानमैथुनयोः परिग्रह एवान्तर्भावात त्रयग्रहणम् - રીકા) “આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ, અ. ૮, ઉદ્દેશક ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org