________________
શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ અને ખંભાત ૧૭૧ ' ઉપાધ્યાયજી મહારાજે સાહિત્ય દ્વારા જૈન શાસનને બહોળો ફેલાવો અને કુમતવાદીઓના હઠાગ્રહનું સુંદર શૈલીમાં નિરસન. કર્યું છે.
આજથી લગભગ ત્રણ વર્ષ પૂર્વેને એટલે તે મહાપુરુષને કાળ એવો હતો કે જે તેમના જેવા વિદ્વત્તાપૂર્ણ પુરુષ ન પાકયા હેત તે જૈન સમાજની શી પરિસ્થિતિ હેત તેની કલ્પના સરખી પણ ન આવી શકે. તેઓશ્રીએ જૈન સમાજને સધ્ધર બનાવવામાં અને ઉન્નત રાખવામાં મહાન ભોગ આપ્યો છે અને ગ્રંથરત્નને મોટો વારસો આપે છે.
ઉપાધ્યાયજી મહારાજે તર્ક, આગમ, અધ્યાત્મ અને એમના વિષયમાં સેંકડો વિદગ્ય ગ્રંથની રચના કરી છે. એટલું જ નહીં પણ પદે, સઝ, સ્તવને સ્તુતિઓ, રાસાઓ વગેરે બાલપભોગ્ય ગુજરાતી સાહિત્યની રચના કરવાનું પણ તેઓ ચૂક્યા નથી."
તાંબર, દિગંબર, સ્થાનકવાસી આ ત્રણેય રૂ૫ જૈનદર્શનમાં નવીન ન્યાયની શૈલીમાં ગ્રંથસર્જન કરનાર તરીકે આદિ કે અંતરૂપ અદ્યાપિ પર્યંત તેઓ જ છે. - વેગ વિષયના પ્રથમ વિવેચનકાર વિરહાંકિત ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા હરિભદ્રસૂરિ થયા. તેમનાં વચનના ભાવને ઊંડાણપૂર્વક સમજી તેમના ગ્રંથની ટીકા તેમજ સ્વતંત્ર પ્રકરણે રચનાર ઉપાધ્યાયજી મહારાજ જ છે તેથી તેમનું લઘુ હરિભદ્ર નામ સંપૂર્ણ સ્વરૂપે અન્વર્થક છે. - કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિ પછી મહાસામર્થ્યશાળી વિદ્વાનેની ગણનામાં ઉપાધ્યાયજીની તુલના કરી શકે તેવા મહાવિદ્વાન જાણવામાં કે સાંભળવામાં આવ્યા નથી તેથી તેમને દ્વિતીય. હેમચંદ્ર કહેવામાં પણ કઈ અતિશયોક્તિ થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org