________________
પ્રથમ જૈન સાહિત્ય સમારોહ
વર્ષને ગાળો છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, મરાઠી, હિંદી, તામિલ, કન્નડમાં જૈન સાહિત્ય છે. વિશ્વમાં પણ વૈવિધ્યભરપૂર છે, અને ધાર્મિક ઉપરાંત જેને આપણે સાંપ્રદાયિકતાથી પર કહી શકીએ તેવું વિપુલ સાહિત્ય પડેલું છે. પ્રાકૃત સાહિત્યના ઈતિહાસમાં મટે ફાળે જૈન સાહિત્યને છે અને અપભ્રંશમાં માત્ર જૈન સાહિત્યની કૃતિઓ મળે છે.
વ્યાકરણ કે ગુજરાતીમાં ભાષાનું મૂળ સ્વરૂપ કયું હતું તે પ્રમાણે જે ભાષાને ઇતિહાસ આપવો હોય તો આ ગ્રંથને જ આધાર લેવો પડે. ત્રીજી શતાબ્દીથી દશમી શતાબ્દીને સાંસ્કૃતિક ઇતિહાસ રચવ હેય તો એના માટેના આધારગ્રંથે જેનો પાસેથી જ મળે છે.”
તેમણે જણાવ્યું હતું કે “આપણી પાસે લાખો પ્રતે છે. તેની નોંધ નથી. મને ભય છે કે કેટલીક વેચાઈ ગઈ છે. આ સાહિત્યસર્જકે એ સાહિત્યનિર્માણ માટે જે શ્રમ કર્યો તેની જાળવણી માટે પણ આપણે શ્રમ લેતા નથી. અને આ જૈનોએ કરવાની જ બાબત નથી; આ જ્ઞાન છે અને તે સમગ્ર ભારતનો વારસો છે. આવી જાળવણમાં કેન્દ્ર તથા રાજાએ પણ મદદ જોઈએ.”
તેમણે કહ્યું હતું કે “અભ્યાસ ત્રણ રીતે થઈ શકેઃ જેનો પૂરત, ભારતીય દષ્ટિએ અને ભારત-જૈન નહિ-પ્રાંત બહારના– આધ્યાત્મિક માનવીને રસ પડે તે રીતે. આપણી પાસેના સાહિત્યમાં જે કેટલુંક પડ્યું છે તે સમય બહારનું થઈ ગયું છે તેને તારવવું જોઈએ અને કેટલુંક અત્યારના માણસની બૌદ્ધિક જરૂરિયાત માટે ઘણું કામનું છે.”
ડો. ભાયાણુએ વિશેષમાં જણાવ્યું હતું કે “મૂળ ગ્રંથે તો છે, પણ તેને ભારતીય ભાષામાં અનુવાદ જરૂરી છે. ગ્રીક તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org