________________ શ્રી અરવિંદની આધ્યાત્મિક સમાજની વિભાવના 75 સત્યાગ્રહી’ અને ‘યોગી'નું સ્વરૂપ પ્રધાનતયા જોવા મળે છે. ભારતીય સભ્યતાનું ચાર સ્વરૂપ તેમની ચેતના દ્વારા કેવું મુખરિત થતું હોય છે! નખશિખ ભારતીય એવા આ ત્રણે મહાન તપસ્વીઓએ પાશ્ચાત્ય જીવનરીતિના ઉત્તમાશોને એવા આત્મસાત કરેલા છે કે તેમની વાણી વિશ્વના કોઈ પણ સંસ્કારી સજજનને સરખી રીતે પ્રતીતિકારક, પ્રેરક અને આહલાદક નીવડે છે. પોતાના વિશિષ્ટ જીવનદર્શનને અભિવ્યક્ત કરતી એ વાણીનો જાદુ હજુ પણ અનેરો શ્રી અરવિંદ ઠેઠ બાલ્યકાળથી પશ્ચિમની સીધી અસર હેઠળ આવેલા. તેમનું લખાણ પણ મુખ્યત્વે અંગ્રેજીમાં થયું છે. અંગ્રેજી ભાષા પરનું તેમનું પ્રભુત્વ અદ્ભુત હોવા છતાં તેમના પુસ્તકનાં થોડાં પૃષ્ઠો વાંચ્યા પછી એના લેખક ભારતીય છે એ વાત આપોઆપ છતી થઈ જાય છે. માનવીની વિકાસયાત્રાનું અંતિમ શિખર બુદ્ધિ નથી, એથી ઉપરની વસ્તુઓ પણ આવેલી છે. અતિમાનસ ચેતનાને પૃથ્વીના જીવનમાં બરાબર સક્રિય કરી શકાય એ તેમના આર્ષદર્શનનો પ્રાથમિક વિભાવ છે. તેમ છતાં શ્રી અરવિંદ જેટલો બુદ્ધિનો સમાદર કેટલા ઓછા લેખકોએ કર્યો હશે! શ્રી અરવિંદ પોતાનો વાચક અમુક કક્ષાની બૌદ્ધિક સજજતા ધરાવતો સંસ્કારી સજન છે એમ માનીને આગળ ચાલે છે. એની આંગળી પકડી સન્માનપૂર્વક બધું બતાવે છે (એ પ્રક્રિયામાં જ બુદ્ધિની સ્વાભાવિક મર્યાદાઓ ખુલ્લી થતી હોય છે.) અને પોતાની વાત આત્મપ્રતીતિને અંતે સ્વીકારવી યા ન સ્વીકારવી એ મર્યાદાવાળું કારણ છે એમ કહે તો પણ આપણને એમાં કશું વાંધાજનક લાગતું નથી. આમ થઈ શકે છે એનું કારણ શ્રી અરવિંદની નેમ સત્યના પ્રગટીકરણની છે, અને રસ પણ હોય તો તે અંગેનો મુખ્યત્વે તો છે કોઈ આગવો ધર્મ સ્થાપવો; તત્ત્વજ્ઞાન કે યોગની કોઈ મતશાળા ઊભી કરવી એ તેમનું લક્ષ્ય છે જ નહિ. તેમણે કહ્યું છે: "Our aim is not either to found a religion or a school of philosophy or a school of yoga, but to create a ground of spiritual growth and experience and a way which will bring down a greater truth beyond the mind not inaccessible to the human soul and consciousness." શ્રી અરવિંદના જીવનદર્શનના મુખ્ય ગ્રંથો તરીકે ‘દિવ્યજીવન’, ‘ગીતા નિબંધો', ‘યોગ સમન્વય”, “માનવ ઇતિહાસક” અને માનવ એકતાનો