________________ અમૃત મહોત્સવ સ્મૃતિ માં આદર્શ’ એ પાંચને ગણવામાં આવે છે. શ્રી અરવિંદનું વિશાળ જીવનદર્શન માનવજીવનના પાયાના પ્રશ્નોની આમૂલાગ્ર ચિકિત્સા કરતું હોઈ સ્વાભાવિક રીતે જ માનવજીવનનાં અનેક પાસાં પર તેમની મૌલિક વિચારણા ઉપલબ્ધ છે. લેખકની દષ્ટિ સતત પોતાની જીવન-ફિલસૂફી પર છે અને એના પ્રકાશમાં સઘળા પ્રશ્નોની પરીક્ષા તે કરે છે, પરંતુ એની પ્રક્રિયામાં પોતાની નિત્યનૂતન અનુભૂતિના રસથી એ બાબતો એવી તો રિસાઈ ગઈ હોય છે, અને વિચારક શ્રી અરવિંદને કવિ શ્રી અરવિંદનો એવો તો સાથે રહેતો હોય છે કે એ વિચારણા વાચકને સહેજ પણ કંટાળાજનક (Boring) કે ભારૂપ (taxing) લાગતી નથી. વિશ્વનું ઉત્પત્તિ સ્વરૂપ બતાવતાં સામાન્ય રીતે તો શ્રી અરવિંદ ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાન્તને અનુસરતા લાગે છે. વિકાસક્રમ માનસિક સંકલ્પશક્તિ ધરાવતા મનોમય પ્રાણી - “મનુષ્ય આગળ અટકી જવાનો નથી, પરંતુ મનુષ્ય જે તત્ત્વનો બનેલો છે તે વિશ્વનો આત્મા, આદિવિચાર, આદિ સંકલ્પ' પ્રાપ્ત કરીને મનુષ્ય પોતાની પ્રકૃતિનો સ્વામી બની શકે છે, આથી આગળ જતાં તે વિશ્વરૂપી પ્રકૃતિનો પણ વધુ ને વધુ સ્વામી બની શકે છે, અને તે વખતે અત્યારે તેને પોતાથી વધુ બળવાન એવી પ્રકૃતિ સાથે જે કુસ્તી કર્યા કરવી પડે છે તે કરવાની રહેતી નથી. આ કાર્ય કરવું. એટલે કે મન દ્વારા તેમજ મનથી ઉપર જઈને, આ સારી પ્રકૃતિમાં પોતાને પ્રકટ કરી રહેલા આત્મામાં, આત્મતત્ત્વમાં પહોંચવું, એ આત્મતત્વ સાથે પોતાના સ્વરૂપમાં - પોતાની શક્તિમાં, પોતાની ચેતના, સંકલ્પ તેમાં જ જ્ઞાનમાં એકરૂપ બની રહેલા, એકી સાથે માનવીની રીતે તેમ જ દિવ્ય રીતે પોતાના અને જગતના સ્વામી બનવું અને આ પ્રભુત્વ તે માનવજીવનના નિયમ અને ધર્મને અનુસરીને પ્રાપ્ત કરવું, પણ તે માનવજીવન એવું હશે કે જે પ્રભુમાં પહોંચીને પોતાની પૂર્ણતા પામ્યું હશે તેમ જ પ્રભુની પૂર્ણતાને જ જગતમાં પ્રકટ કરી રહ્યું હશે” જગતનાં યુગચકોના સનાતન યાત્રી મનુષ્ય માટે આવું ભાવિ નિમયેિલું તે જુએ છે. શ્રી અરવિંદ ડાર્વિનના સંઘર્ષ (Struggle) ને જરા જુદી રીતે સ્થાન આપ્યું અને એના Natural Selection' ની જેમ માનવના સાપેક્ષ સ્વાતંત્રને પણ સ્વીકાર્યું તેમ છતાં ડાર્વિનથી ઊલટું તેમણે હવે પછીના વિકાસક્રમની અંતરિયાળ અવસ્થાઓનો ચોક્કસ નકશો આપ્યો અને સંશોધન કરતાં કાંઈક વિશેષ એવી આંતરષ્ટિ (Vision) થી મનુષ્યના ભાવિનું ચિત્ર સુરેખ દોરી આપ્યું. ડાર્વિનનો આશય કોઈ