SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ મંગલમાલા આપોઆપ ભાવ કે પરિસ્થિતિને સૂચિત કરી દે છે. પ્રત્યે વિનતિ સુદ્ધાગાન “માં પુરતુ શબ્દના વર્ણોજ બાળક જેવાં નાચતાં કૂદતાં સૂર્યકિરણોને સૂચિત કરી દે છે. प्रच्योतन् मदाविल विलोल कपोल मूल। मत्त भ्रमद् भ्रमरनाद विवृद्ध कोपम्॥ પંક્તિના “લ” અને “દ' વર્ગોનાં આવર્તનો ડોલતા આવતા હાથીને પ્રત્યક્ષ કરે છે. લોહસાંકળોમાં બંધાયેલા માનવીનું ચિત્ર અમર બનવા સર્જાયેલું છે. आपाद कण्ठमुरुशृंखल वेष्टिताङगा। गाढं बृहन्निगडकोटि निघृष्टजंघा॥ અહીં વર્ષોના અવાજ દ્વારા જ લોખંડની કર્કશ બેડીઓ અને એ બેડીઓની માનવશરીર સાથે ઘસાવાની ક્રિયા સૂચિત થાય છે. આદિનાથને વર્ણવવા કવિ વારંવાર સૂર્ય અને ચન્દ્રનાં ઉપમાનોને પ્રયોજે છે. પ્રથમ દષ્ટિએ એક જ ઉપમાનનો વારંવાર થતો ઉપયોગ ઉચિત ન પણ લાગે, છતાં ઊંડાણથી જોતાં ક્યારેક બન્ને પંક્તિઓમાં એક જ ઉપમાન હોવા છતાં કવિ ઉપમાનના જુદા જ અંશને સ્પશીને નાવીન્ય સિદ્ધ કરી દે છે. 28 મી પંક્તિમાં વાદળાંની પાસે રહેલો અને એમ અંધાકારને દૂર કરતો સૂર્ય અને તરતની 29 મી પંક્તિમાં ઉદયાચલ શિખરે શોભત. સૂર્ય કેવા જુદા લાગે છે? શ્લોક 4-15-40-44 સાથે વાંચતાં ચિત્ર અને શબ્દોનું પુનરાવર્તન જચતું નથી. ઉપર નિર્દિષ્ટ શ્લોકોમાં વડવાગ્નિ ઓક્તા, ભયાનક મગરમચ્છો ધરાવતા મહાસાગરનું ચિત્ર લગભગ સમાન શબ્દમાલામાં દોરાયું છે. कल्पांतकाल पवनोद्धतनक्रचक्रं (4) कल्पांतकाल मरुताचलिताचलेन (15) कल्पांतकाल पवनोरुद्धत वह्निकल्पं (40) अम्भोनिधौ क्षुभित भीषणनक्रचक्र (44) બે વિરોધી જણાતા ભાવાલેખન માટે એક જ ઉપમાનનો ઉપયોગ ઉચિત ન પણ લાગે. સંસારની માયા માટે ઉછળતા; ભયાનક સાગરનું ઉપમાન સમજાય એમ છે. (40) પણ ચોથા શ્લોકમાં ચન્દ્ર જેવા શીતળ; સ્નિગ્ધ ગુણોના સાગર એવા પ્રભુને વાર્ણવવાની કવિની અશક્તિ અને પ્રલયકાલના
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy