________________ 68 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ ઉન્નત આત્માની ખુમારી હશે. મધુર હૃદયસંવાદથી આનંદિત અને સંતુષ્ટ રહેનાર ધન્ય માનવીને આપણે સાક્ષાત્ નારાયણ કહીશું, પરમ તીર્થકર કહીશું. અડતાલીસ (કેટલાકને મતે ચુંમાલીસ) શ્લોક પુષ્પોથી ગૂંથાયેલી આ મંગલમાલાની ભાવસુગન્ધ તો આપણે માણી. આ માલિકાનાં પુષ્પોનું સૌન્દર્ય અને રસાત્મકતા પણ એટલા જ મનોહારી છે. ભક્તામર સ્તોત્ર' ની ભાષા, કલ્પનાઓ, ચિત્રો, અલંકારો સર્વ કાંઈ નિતાન્તરમણીય છે. કાવ્યના પ્રારંભમાં કવિની નમ્રતા કેવાં આકર્ષક દષ્ટાન્તો દ્વારા વ્યક્ત થાય છે? ચન્દ્રબિંબને પકડવા હઠ કરતું બાળક, સિંહના પંજામાંથી પોતાના બાળકને બચાવવા તત્પર હરિણી, આમ્રમંજરીના પ્રભાવે પ્રગટતો કોકિલનો ટહુકાર, કમલદલની સંનિધિને કારણે શોભતું જલબિન્દુ-કેવી મનોહર દષ્ટાન્નાવલિથી કાવ્ય ઉધો છે? ઉપમાચિત્રોના સર્જનમાં કવિની સર્જકતાનો અનુભવ થાય છે. પ્રભુને સતત દીપક તરીકે વર્ણવવામાં, પાકી ગયેલા ડાંગરના ખેતર સાથે સરખાવવામાં, ભવજલના શોષક તરીકે ઓળખાવવામાં મેરૂતુંગની કલ્પનાશક્તિનો પરિચય થાય છે. આદિનાથનાં જનનીને યાદ કરતાં કવિની વાણી ધન્ય બની જાય છે. આનંદવિભોર બની ગયેલું કવિહૃદય ત્યારે એક અમર શબ્દચિત્ર સર્જી દે છે. પ્રભુના દર્શને બનેલો કવિનો ‘સુરભિત, પુલક્તિ, મુખરિત શ્વાસ (સુન્દરમ) કાવ્યના પદેપદે અનુભવાય છે. यत्कोकिल: किल मधौ मधुरं विरौति। (6) મુવતા નથતિમુપૈતિ નમૂવિન્ડા (8) उद्यत् शशाङक शुचिनिर्झर वारिधारम्। (30) गन्धोदबिन्दु शुभमन्द मरुत्प्रपाता। (33) કેટકેટલી પંક્તિઓને યાદ કરીશું? મંદાર આદિ પુષ્પો એ તો પ્રભુવાણીની વૃષ્ટિ છે, કે પ્રભુના પગલે દિવ્ય કમળો સર્જાય છે. એમ કહેવામાં કવિની સર્જકતાનો અનુભવ થાય છે. યથાપ્રસંગ બદલાતું ભાષાસ્તર કવિની સર્જનકર્મ પરત્વેની જાગરૂક્તા સૂચવે છે. ગતસંસ્થિત રવિ, કોકિત: ત્તિ મળે મધુર વિરતિ, સંપૂનષ્ણતરીડિતવિકતાપ, ન્યતત્તવનોદ્રતને આવાં અનેક ઉદાહરણો આ માટે આપી શકાય. વર્ગોની સ્વરભંજનલીલા ક્યારેક