________________ તપનું તેજ 45 કરતા તાપસોના મંત્રો મને સંભળાય છે. ઉપર સૌધર્મ દેવલોકના દેવોનું દર્શન હું કરી શકું છું અને નીચે રૌરવ નરક સુધી મારી દષ્ટિ પહોંચે | ‘અસંભવ, આ તો પૂર્ણજ્ઞાન થયું. સંસારી શ્રાવકને એ કદી ન સંભવે. અસત્ય ઉચ્ચાર માટે તારે પ્રાયશ્ચિતું કરવું ઘટે!' હું સત્ય કહું છું. જિન પ્રવચનમાં તો અસત્ય ઉચ્ચાર કરે એને પ્રાયશ્ચિત કરવું પડે છે.' એટલે તું મારા પર આક્ષેપ કરે છે! હું અસત્ય બોલ્યો અને મારે પ્રાયશ્ચિત કરવું?” “ના, ના, ભગવંતુ! મન, વચન, કર્મથી મેં કોઈને દુભવ્યા નથી આનું સ્પષ્ટીકરણ માટે ભગવાન મહાવીરના શ્રીમુખે સાંભળવું પડશે.' ગૌતમ ત્યાથી ચાલ્યા ગયા. એમનું દિલ દુભવવાનો આનંદનો ઇરાદો નહોતો પરંતુ થોડા દિવસ બાદ ગૌતમ પુન: પધાર્યા અને આનંદને કહ્યું : સચ્ચસ્સ આણાએ સે વિડુિએ મહાવિ મારે તરઈ' (સત્યનો ઉચ્ચાર કરનાર મેધાવી મૃત્યુને તરી જાય છે.) આનંદ! તારું કથન સત્ય હતું. ભગવાને પણ એ વાતનું સમર્થન કર્યું. પ્રાયશ્ચિત મારે જ કરવું રહ્યું કે મેં તને કહ્યું કે તું અસત્ય ઉચ્ચાર કરે છે. મિચ્છામિ દુકકડ!' આનંદનાં નેત્ર વરસી રહ્યાં હતાં. ગૌતમ આગળ બોલ્યા: ‘આનંદ, ઘણા શીલવતો વડે આત્માને ભાવિત કરતો તું શ્રમણોપાસકનો પર્યાય બની સૌધર્મ દેવલોકને પામીશ” નમો અરિહંતાણં !" * * *