________________ 32 અમૃત મહોત્સવ સ્મૃતિ રથ (2) બાર ઉપાંગસૂત્રો: દ્વાદશાંગીમાં વર્ણવેલ અનેક વિષયોમાંથી અમુક અમુક વિષયો ઉપર વિશેષ વિવેચન કરનારાં શાસ્ત્રોને ઉપાંગસૂત્રો કહે છે; તે નીચે મુજબ છે. (1) આપયાતિક (7) ચંદ્ર પ્રજ્ઞપ્તિ (2) રાજપ્રશ્નીયા (8) નિરયાવલિકા (3) જીવાજીવાભિગમ (9) કલ્પાવતંસિકા (4) પ્રજ્ઞાપના (10) પુપિકા (5) સૂર્યપ્રજ્ઞપ્તિ (11) પુષ્પચૂલિકા (6) જંબુદ્દીપ પ્રજ્ઞપ્તિ (12) વૃષ્ણિદશા (3) છ છેદસૂત્રો: સંયમ માર્ગે પ્રયાણકરતાં મુનિજીવનમાં થઈ જનાર દોષોની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત આદિની વ્યવસ્થા દર્શાવનાર આ સૂત્રો નીચે મૂજબ છે. (1) નિશીથ (4) દશાશ્રુતસ્કંધ (2) બૃહત્કલ્પ (5) જિતકલ્પ (3) વ્યવકાર (6) મહાનિશીથ (4) ચાર મૂલસૂત્રો: શાસ્ત્રની ઉત્પત્તિ, સ્થિતિ અને રક્ષણના પ્રાણસમાં ચારિત્રના પાયાને મજબૂત કરનારા, શ્રુતજ્ઞાનના સાચા અધિકારી બનવાની યોગ્યતાનું ઘડતર કરનારા સંયમી જીવનનાં મૂળસૂત્રો છે. (1) આવશ્યક સૂત્ર (3) ઔધ નિયુક્તિ પિંડ નિર્યુક્તિ. (2) દશવૈકાલિક સૂત્ર (4) ઉત્તરાધ્યયન સૂત્ર (5) દસ પ્રકીર્ણકો (પન્ના): ચિત્તના આરાધક ભાવને જાગૃત કરનારા જે નાના નાના ગ્રંથો છે તે આવા દશ પ્રકીર્ણકો નીચે મુજબ છે.