________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ આ ગાથામાં “યદચ્છા' ને સ્થાને ‘પૂર્વકૃત” છે, અને “ભૂતાનિ' છોડી દીધું છે. તેનું તાત્પર્ય એ છે કે આ બધાં કારણો એકાન્તરૂપે સમજવા એ મિથ્યાત્વ છે, અને તેમને જ મારો “સમાસા:” “પરસ્પર સાપેક્ષપણે” સમજવાં એ સમ્યકત્વ છે. આ કારિકા અને ગાથાનો ઐતિહાસિક સંબંધ વિચારતાં એમ લાગે છે કે ભારતીય સંસ્કૃતિમાં જે અનેક સર્વ સાધારણ ઉક્તિઓ રૂઢ થઈ છે તેવી આ એક ઉકિત છે. ઉપર કહ્યું તેમ જગતના મૂળ કારણ તરીકે પ્રચલિત વિચારણીય મતો કયા છે તેનો આમાં સંગ્રહ છે. આ મતો પ્રચલિત થયા એટલે જૈન દર્શનને પોતાની અનેકાન્ત દષ્ટિથી એની સમાલોચના કરવાનું પ્રાપ્ત થાય; એ પ્રત્યેકનું બીજાથી ખણ્ડન કરવા પ્રવૃત્ત નહિ થાય; ફક્ત તેના ઐકાન્તિક આગ્રહમાં તેને મિથ્યાત્વ દેખાય; પણ તે બધાને ‘સમાસા: ‘એકઠા રાખીને “પરસ્પર સાપેક્ષપણે” સમજવામાં સમ્યકત્વ-સાચી સમજ-માને. આ જ પ્રમાણે - સાંખ્ય - યોગ, ન્યાય-વૈશેષિક, મીમાંસા, વેદાન્ત અને બદ્ધ દર્શન પ્રમાણ અને યુક્તિ બલથી જે જે મતો રજૂ કરે છે તેને જૈન દર્શન પોતાના વિવિધ નયોમાં ઘટાવે છે; આનાં પણ અનેક ઉદાહરણો છે પણ તેમાંથી “ન્યાયાવતાર” ઉપરની સિદ્ધર્ષિકૃત વિવૃતિનું અવતરણ લઈએ: तदेवमनेकधर्मपरीतार्थग्राहिका बुद्धिः प्रमाणम्। तद्द्वारायातः पनरेकधर्मनिष्ठार्थसमर्थनप्रवण: परामर्श: शेषधर्मस्वीकारतिरस्कारपरिहारद्वारेण वर्तमानो नयः। स च धर्माणामानन्त्यादनन्तभेदस्तथापि सर्वसङ्ग्राहकाभिप्रायपरिकल्पनमुखेनैव सप्तभेदो दर्शितः। अयमेव च स्वाभिप्रेतधर्मावधारणात्मकतया शेषधर्मतिरस्कारद्वारेण पवर्तमान: परामर्शो दुर्नयसंज्ञामश्नुते। तबलप्रभावितसत्ताका हि खल्वेते प्ररप्रवादाः। तथा हि नैगमनयदर्शनानुसारिणौ नैयायिकवैशेषिको। सङ्ग्रहाभिप्रायप्रवृत्ताः सर्वेऽप्यद्वैतवादा: सांख्यदर्शनं च। व्यवहारनयानुपाति प्रायश्चार्वाकदर्शनम्। ऋजुसूत्राकूतप्रवृत्तबुद्धयस्ताथागताः। शब्ददिनयमतावलम्बिनो वैयाकरणादय इति। (પૃ. 228 ન્યાયાવતાર છે. પ્રસ્થાવતી.) આ અવતરણમાં અનેકાન્તનું સ્વરૂપ વિશદ રૂપે રજૂ થાય છે. અનેક ધર્મોથી ‘પરીત' ઓતપ્રોત અથવા શબલ એવા અર્થનું ગ્રહણ કરનારી બુદ્ધિ 'તે પ્રમાણ. તે દ્વારા આવેલો પરામર્શ-પાણ એક ધર્મનિષ્ઠ એવા અર્થનું સમર્થન કરવામાં રોકાયેલો એવો પરામર્શ-તે નય; પણ તે નય ત્યારે જ કે જ્યારે બાકીના ધર્મોના સ્વીકારતિરસ્કારની વાત છોડી દઈ પ્રવર્તે; પણ આ જ