________________ અનેકાન્તવાદનું સ્વરૂપ થાય છે તેના ઉપર ઘણો પ્રકાશ પડે, અને આ દષ્ટિએ પશ્ચિમની ફિલ્શફીના પોતાના ઈતિહાસને જોવામાં આવે તો તેમાં ઘણી સમાન વીથિઓ વ્યક્ત થશે અને નવા ભારતીય દર્શનમાં અનેકાન્તવાદ કેવા રૂપમાં વ્યક્ત થાય તેની પ્રેરણા મળે. અનેકાન્તવાદનું રહસ્ય કોઈ પણ પ્રતીત થતા સત્યને નહિ ફેંકી દેવામાં છે, અને તેનો પ્રયત્ન આ વિવિધ સત્યોની સંગતિ અનેકાન્તાત્મક સ'માં સમજવામાં હોય છે. દર્શનોની શાસ્ત્રીયતા જેમ જેમ નવા પદાર્થો જાણતી જાય છે તેમ તેમ અનેકાન્તમાં તે તે પદાર્થોની સંગતિ શોધવાનો પ્રયત્ન વારંવાર થતો દેખાય છે. આનાં અનેક ઉદાહરણોમાંથી એક લઇએ. ઉપનિષદોના યુગમાં અને તે પછી જગના મૂળ તત્ત્વ વિષે બહુ પ્રબળ મનોમંથન ચાલતું; અને એમાંથી વિવિધ મતો ઉત્પન્ન થતા. આમાંથી ગણનાયોગ્ય પદાર્થો એક કારિકામાં ગ્રથિત થઈ ગયા. શ્વેતાશ્વતર ઉપનિષદમાં પૂર્વપક્ષ તરીકે આ કારિકા આવે છે काल: स्वभावो नियतिर्यदृच्छा भूतानि योनिः पुरुष इति चिन्त्यम्। संयोग एषां न त्वात्मभावादात्माऽप्यनीशः सुखदुःखहेतोः॥ કાલ, સ્વભાવ, નિયતિ, યદચ્છા, ભૂત, પુરુષ આમાંથી કયું એક મૂળ કારણ? આમાંનું પ્રત્યેક કે સમુદાયે કારણ ઘટતું નથી એવો અભિપ્રાય છે. આને વિષે શંકરાનંદ કહે છે કે સત્ર પદ્ પક્ષા: પૂર્વપૂર્વી સર્વત્થાત્ પ્રાદુર્મન્તિા અર્થાત પછીનો પક્ષ પૂર્ણ કરતાં વધારે સબળ છે, જેમ કે કાલ કરતાં સ્વભાવ, સ્વભાવ કરતાં નિયતિ ઇત્યાદિ. આ કેવી રીતે છે તે શંકરાનન્દ પોતાની ટીકામાં સમજાવે છે. આમાં ઉદ્દેશ એકના ખણ્ડન ઉપર બીજાના મર્ડનનો છે. પ્રાકૃત રૂપાન્તરે આવા મતલબની ગાથા સન્મતિ ર્કમાં આવે છે. कालो सहावणियई पुव्वकयं पुरिस कारणे गंता। मिच्छत्तं ते चेवा(व) समासओ होंति सम्मतं॥ 53, નોંધ : 1. જુઓ આગળ : બેલેનું મન્તવ્ય, 2. છે. ઉ. દીપિકા પૃ. 2 આ. સં. ગ્રં. 2 3, - 8 - 720 મુ. પુ. 5. .