________________ 19 અનેકાન્તવાદનું સ્વરૂપ જ્યારે બાકીના ધર્મોના તિરસ્કાર દ્વારા પ્રવર્તે ત્યારે દુર્નય. ધર્મો અનન્ત છે એટલે નય પણ અનન્સ પ્રકારનો થાય. પણ બધાનો સંગ્રહ કરે એવા અભિપ્રાયે સાત પ્રકારનો કહ્યો છે. પર પ્રવાદો અર્થાત્ નેતર મતો એકાન્ત આગ્રહી છે એમ માની લઈ-તુલનાત્મક અભ્યાસ એમ બતાવે છે કે આ ઐતિહાસિક હકીકત નથી, - એવા એકાન્ત આગ્રહી મતને તે તે નવમાં ઘટાવવા પ્રયત્ન કરે છે. જેમકે નૈગમમાં ન્યાય વૈશેષિક, સંગ્રહમાં સર્વ અદ્વૈતવાદો અને સાંખ્યદર્શન (કારણ કે તે બધા સત્કાર્યવાદી છે), વ્યવહાર નથમાં મોટે ભાગે ચાર્વાક દર્શન (આ બહુ વેધક દષ્ટિ છે), જુસૂત્રમાં બૌદ્ધ મતો અને શબ્દાદિ નયમાં વૈયાકરણાદિ. જેમ સિદ્ધસેન દિવાકરે સન્મતિની ગાથામાં જુદા જુદા મતોને તેના એકાન્ત આગ્રહને કારણે મિથ્યા કહ્યા અને સમસ્તપણે સાચા કા એવો જ પ્રયત્ન સિદ્ધર્ષિનો પોતાને જાણીતાં દર્શનોને ઘટાવવાનો છે. ઉપર કહ્યું તેમ આ એક ઉદાહરણ છે. પણ અનેકાન્ત દર્શનના ક્રમિક આવિષ્કારમાં તત્ત્વજિજ્ઞાસાનો જે પ્રયત્ન વ્યક્ત થતો દેખાશે તે-જિજ્ઞાસા જે વિવિધ ધર્મોનું પ્રતિપાદન કરે છે તેમાંનો કોઈનો પણ ત્યાગ કર્યા વિના તેમની સંગતિ શોધવામાં છે. અનેકાન્તાત્મક વસ્તુ તેના પૂર્ણ રૂપે તો સર્વજ્ઞનો વિષય છે - તેમને ગોચર છે. સિદ્ધસેન દિવાકર ન્યાયાવતારમાં કહે છે તેમ - મનેાન્તાત્મિજં " વસ્તુ છે. સર્વવિદ્વાન્ - અર્થાત્ સર્વજ્ઞ નથી એવા માણસની તત્વજિજ્ઞાસાનો પ્રયત્ન જેમ જેમ નવા ધર્મોનું પ્રતિપાદન થતું જાય તેમ તેમ તેમને અનેકાન્તની દષ્ટિએ સમન્વય કરવાનો દેખાય છે; જૈન આચાર્યોને આ અનેકાન્ત દષ્ટિ ઉપર સવિશેષ ભાર મૂકવો ગમ્યો એટલે તેમણે શાસ્ત્રીય યુગમાં જૈનદર્શનનું અપર નામ અનેકાન્ત દર્શન' રાખ્યું. આચાર્ય હેમચન્દ્ર તેમના વ્યાકરણમાં ‘સિદ્ધિઃ સાદા' એ સૂત્ર ઉપર સ્વોપણ વૃત્તિમાં જે એમ કહે છે કે स्यादित्यव्ययमनेकान्तद्योतकम्। ततः स्याद्वादोऽनेकान्तवादः नित्यानित्याद्यनेकधर्मशबलैकवस्त्वम्युपगम इति यावत्। .... सर्वपार्षदत्वाच्च શબ્દાનુશામની સતર્શનસમૂહાત્મચદિક્ષિમાશ્રયમતિ મળીય– (પૃ 1-2). - તેમાં પણ આ દષ્ટિ હોય એમ લાગે છે. નોંધ : 1. જુઓ દર્શન ઔર અનેકાન્તવાદ, લેખક : પં. હંસરાજજી શર્મા, આત્માનંદ ન પુસ્તક પ્રચારક મંડલ, આગરા.