________________ 13 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ ચાલી રહ્યાં છે તેમાં ખરેખર પ્રાણ પુરાશે તેમ જ તે તે અનુકાનોમાં તથા જીવનમાં જે કંઈ જડતા તથા અવિધિ આવી ગઈ છે તે પણ ખરેખર દૂર થશે. તેમ જ જૈનશાસનની સાચી ઉન્નતિમાં તથા સાચી પ્રભાવનામાં સાચો ફાળો આપવાનું શ્રેય પણ શ્રાવકસંઘને પ્રાપ્ત થશે. જેમ ભૂતકાળમાં મહારાજ કુમારપાળ, મહામાત્ય મંત્રીશ્વર વસ્તુપાળ, પેથડશા આદિ અનેક અનેક મહાપુરુષો - મહાશ્રાવકો થઈ ગયા તેમ વર્તમાનકાળ તથા ભવિષ્યકાળમાં પણ જૈન પ્રવચનની આરાધના કરીને આપણા શ્રાવકો મહાશ્રાવક બને તથા જૈન શાસનની આરાધના પ્રભાવનાનું મહાનું શ્રેય પ્રાપ્ત કરે એ જ શુભેચ્છા અને પ્રભુને પ્રાર્થના. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વર પટ્ટાલંકાર પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી વિજય મેઘસૂરીશ્વર શિષ્ય પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિજયાન્તવાસી મુનિ જંબૂવિજય