________________ 12 પ્રભુ, તુજ શાસન અતિ ભલું આધારે લખાયેલી અલ્પપ્રાચીન અથવા અર્વાચીન પ્રતિઓ પણ ઉપયોગી થાય છે. આપણા ઘણા ગ્રંથો ભૂતકાળમાં નષ્ટ થઈ ગયા હોવા છતાં હજુ પણ ઘણું હસ્તલિખિત સાહિત્ય આપણી પાસે છે. આ હસ્તલિખિત સાહિત્ય સ્વ. આગમપ્રભાકર પૂજ્ય મુનિરાજ શ્રીપુણ્યવિજયજી મહારાજે ઘણા ઘણા પરિશ્રમે વ્યવસ્થિત કરીને જેસલમેર, પાટણ આદિના ભંડારોમાં ગોઠવેલું છે. જેસલમેર, ખંભાત, પાટણ, પુના તથા અમદાવાદના કેટલાક ભંડારોમાં આપણે ઘણું ઘણું તાડપત્ર ઉપર લખેલું પ્રાચીન સાહિત્ય વિદ્યમાન છે. તાડપત્ર ઉપરથી સાક્ષાત્ અથવા પરંપરાએ કાગળ ઉપર લખાયેલી અનેક હસ્તલિખિત ' પ્રતિઓ તો જેસલમેર, ખંભાત, પાટણ, અમદાવાદ, લીંબડી, વિજાપુર, સુરત, રાધનપુર, જયપુર, જોધપુર, બાલોતરા, દિલ્હી આદિ અનેક ભારતના સ્થાનોમાં વિદ્યમાન છે. એકલા પાટણમાં જ લગભગ 2400 (ચોવીશ હજાર) જેટલી કાગળ ઉપર લખેલી પ્રતિઓ વિદ્યમાન છે. આ બધાનું યથાયોગ્ય યથાસંભવ અધ્યયન કરવાથી સ્વાધ્યાયનો લાભ તો થશે જ, ઉપરાંત પાઠો શુદ્ધ થવાથી જે શુદ્ધ અને વિશદજ્ઞાન થશે તેનો અવર્ણનીય આનંદ પણ થશે. પાઠોને શુદ્ધ કરવાની પણ એક સ્વતંત્ર પદ્ધતિ તથા કળા છે. | ભૂતકાળમાં સ્વાધ્યાય એ સાધુ-સાધ્વી સંઘનો પ્રાણ હતો. એ સ્વાધ્યાય રચિ ફરીથી પ્રગટ થવાની ખાસ જરૂર છે. આ યુગમાં તે તે દુર્લભ, દુર્લભત, દુર્લભતમ ગ્રંથોની કોપીઓ પણ ફોટા રૂપે અથવા ઝેરોક્ષ (Xerox) આદિ રૂપે મળવાની-મેળવવાની અનુકૂળતા નિર્માણ થયેલી હોવાથી જો ખરેખર તીવ્ર અધ્યયનની રુચિ જાગે તો વ્યાપક અને ગંભીર અધ્યયનમાં ઘણી સરળતા નિર્માણ થયેલી જણાશે. જેમ જેમ સ્વાધ્યાય વધશે તેમ તેમ જીવનમાં ઘણા ઘણા દોષોનું પ્રમાર્જન તથા નિવારણ થશે. તેમ જ “સાધુજીવન એ ખરેખર દિવ્યાતિદિવ્ય છે' એવો અનુભવ અને અપૂર્વ આસ્વાદ સાધુજીવનમાં પ્રાપ્ત થશે તેમજ આવા સાધુ-સંતો દ્વારા શાસનની પણ મહાન પ્રભાવના થશે. શ્રાવકસંઘમાં પણ સ્વાધ્યાયરુચિ પ્રગટ થવાની અત્યંત જરૂર છે. શ્રાવકસંઘમાં સાચા અર્થમાં સ્વાધ્યાયરુચિ પ્રગટ થશે તો જે જે અનુષ્ઠાનો અત્યારે સંઘમાં