SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 317 43. મનને ઉલેચો... મન ચંચળ છે અને ચિંતનશીલ પણ છે. તે સદાય, જાગૃત યા અજાગૃત અવસ્થામાં સતત વિચારતું જ રહે છે. માણસ ઈચ્છે કે ન ઈચ્છ, જેમ તેનું હૃદય સતત ધબકે છે તેમ મન પણ વિચાર્યા કરતું રહે છે. માણસને દુખનો અને પીડાનો અને બેચેનીનો - અસુખનો - જે અનુભવ થયા કરે છે તે જેટલો શારીરિક કે સાંયોગિક છે તેથી વધુ માનસિક છે. ન હોય ત્યાં મન દુ:ખ ઊભું કરે છે. અને મનને જો વાળ્યું હોય, કેળવ્યું હોય તો જ્યાં દુ:ખ છે ત્યાં દુ:ખને અનુભવ નથી કરતું. | મન એક સ્તર પર વિચરતું નથી. એક સાથે તે એકથી વધુ સ્તર પર વિહરે છે. કોઈ વ્યક્તિ સાથે તમે વાત કરતા હો ત્યારે એ વાત પ્રકટ રીતે એક વિષય સંબંધે થતી હોય પણ તમે આંતરિક રીતે તમારા કોઈ પ્રશ્નના, કોઈ સમસ્યાના ચિંતનમાં કે ચિંતામાં ડૂબેલા હો અને તેનો જ વિચાર કરી રહ્યા હો. એટલું જ નહિ પણ પ્રકટપણે રજૂ થતા શબ્દો કે ભાવ કે વિચારથી તદ્દન વિરુદ્ધ પ્રકારના ભાવ કે વિચાર મનમાં ચાલતા હોય અને તે તમે છુપાવીને બહારનો વ્યવહાર સાચવતા હો. આ બધી મનની કરામત છે, કારીગરી કે જાદુગરી છે. તેને સ્ટીમ ઑફ કોન્સીયશનેશ” કહે છે. બે સ્તરે મન વિચરે છે. સાહિત્યમાં, વિશેષ કરીને સર્જનાત્મક સાહિત્યમાં, વાર્તા-કવિતા-નાટકમાં આ રીતના પ્રયોગો થયેલા જણાય છે. પ્રગટ સંવાદો કે પ્રતિભાવો સાથે કસમાં મનની વાત લખી હોય છે. એટલે કે મન બે સ્તરે વર્તતું હોય છે.
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy