________________ 316 ગૌરાંગ પ્રજાનું ઉદ્ભવસ્થાન જ સંમિશ્રણ થયું. મધ્ય-હિમાલય પ્રદેશ (કાશ્મીર અને ત્રિવિષ્ટપ)માંથી નીચે આવેલી દેવ' ગૌરાંગ પ્રજા સાથે “સૂર્યવંશીય” પીતાંગ “માનવ” પ્રજાનું તો એ પૂર્વે જ સંમિશ્રણ થઈ ચૂક્યું હતું અને ઋગ્વદમાં દિવ' અને ઈન્દ્ર' શબ્દ માનવેતર સ્વર્ગવાસી તરીકે ચીતરાયા. આ મિશ્રિતોમાં દાનવ' (કહેવાતી આદિવાસી) પ્રજા પણ ભળી ગઈ. આપણે જોઈએ છીએ કે આન્ધ વગેરે દક્ષિાગના પ્રદેશના ઉચ્ચ વેદિક બ્રાહ્મણોમાં શ્યામરંગ વિપુલતાથી વ્યાપક છે. ભારતીય ઉપખંડની જૂની પ્રજામાં સંમિશ્રાગ મોટા પ્રમાણમાં છે, તો મોડેથી ‘શુઓના ગૌરાંગ અવશેષો ભારતીય ઉપખંડમાં આવ્યા. તેઓમાં અસલ રંગ મોટે ભાગે સચવાયેલો મળે છે. વર્ષો પૂર્વ પથિક' માસિકના મે-જૂન 1972 ના અંકોમાં “આર્યપ્રજા મૂલસ્થાન અને પ્રસાર' એ શીર્ષક હેઠળ લેખ છપાયેલો અને એને સંસ્કારી પછી કે. કા. શાસ્ત્રી અમૃતમહોત્સવ અભિનંદન ગ્રંથ' ૧૯૮૨માં ફરી છાપવામાં આવ્યો ત્યાં સુધી મધ્ય હિમાલય પ્રદેશમાંથી ભારતીય ઉપખંડમાં પથરાયેલી અને પશ્ચિમે પ્રસરેલી ગૌરાંગ પ્રજાને મારા તરફથી “આર્ય' કહેવામાં આવેલી. પરંતુ ૧૯૮રના જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બરની ૧૭મી તારીખ સુધી મારું યુનાઈટેડ સ્ટેટમાં રહેવાનું થયું અને અમેરિકાના આદિમ વસાહતીઓનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે આંખ ખૂલી અને સૂર્યવંશીઓનું સ્વાભાવિક સ્વરૂપ આંખ સામે ખડું થયું. એ સાથે “આર્ય' શબ્દના વાસ્તવિક અર્થ પર વિચાર કરવાનું સૂઝયું. આ પછી સ્પષ્ટ જોવા મળ્યું કે આર્ય કોઈ વંશવાચક શબ્દ નથી. ડૉ. મેકસમૂલર ૧૯૫૬માં જેને ‘આર્ય' કહેતા હતા એ આર્ય સંજ્ઞા તો ભાષાકળની વાચક છે એવો અભિપ્રાય 1888 આસપાસ વ્યક્ત કર્યો એ ધ્યાનમાં આવ્યું. ગૌરાંગ પ્રજાનું સ્થાન તો 'મધ્ય હિમાલયનો પ્રદેશ સ્પષ્ટ રીતે સિદ્ધ થયું, એ રીતે રથમાંગ પ્રજાનું પાણ મૂળ સ્થાન હિંદીમહાસાગર અને પ્રશાંત મહાસાગરના વિષુવવૃત્તની બંને બાજુના બિગ પ્રદેશ હોવાનું સ્પષ્ટ થયું. રહ્યું માત્ર પીતાંગ' પ્રજાનું મૂળ સ્થાન. હકીકતમાં હિમાલયનો પશ્ચિમાધી છેક કસસ પર્વત સુધીનો ‘ગૌરાંગ'નો તે પૂર્વાર્ધ પીતાંગો'નો. આજે સમગ્ર પૂર્વ એશિયામાં આ પીતાંગ પ્રજા પથરાયેલી પડી છે. આમ ગૌરાંગોના મૂળ સ્થાન સાથે પીતાંગો અને શ્યામાંગોનાં પણ મૂલ સ્થાન આપણી સમક્ષ ખડાં થાય છે.