________________ 312 ગૌરાંગ પ્રજનું ઉદ્ભવસ્થાન પ્રજાઓનો મુખ્ય પ્રવાહ વાયવ્ય ખૂણા તરફ વહ્યા કર્યો હતો અને કહેલું કે “પામીરથી લઈ (કાશ્મીરની ઉપરની ઉત્તરની સીમા ઉપરનો પ્રદેશ કે જે ભૌગોલિક દૃષ્ટિએ કાશ્મીરનો ભાગ છે.) ઉત્તરનો મધ્ય એશિયાનો પ્રદેશ.” (હિસ્ટરી ઓફ એન્સિયન્ટ સંસ્કૃત લિટરેચર. પૃ. 211) વર્ષો પછી ૧૯૨૨માં પ્રસિદ્ધ થયેલા, બંગાલની હાઈકોર્ટના અંગ્રેજ ન્યાયમૂર્તિ એફ. ઈ. પાર્જિટરના “એન્સિયન્ટ ઈન્ડિયન હિસ્ટોરિકલ ટ્રેડિશન’ નામના ગ્રંથમાં ખૂબજ મહત્ત્વ ધરાવતો અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો છે. શ્રી પાર્જિટર જણાવે છે કે: "Indian tradition knows nothing of any Aila or Aryan invasion of India from Afghanistan, nor of any gradual advance from thence castwards. On the other hand it distinctly asserts that there was an Aila out-llow of the Druhyus through the north-west into the countries beyond, where they founded various kingdoms and so introduced their own Indian religion among the nations." (1st Edition, 1922, London, reprinted in India, 1962 p. 298). “ભારતીય પરંપરા અફઘાનિસ્તાનથી થઈ ભારતીય ઉપખંડ ઉપર કોઈ પાગ ઍલ અથવા આર્યોના આક્રમણના વિષયમાં કાંઈ પણ જાણતી નથી, ન તો ત્યાંથી પૂર્વની બાજુ કોઈ પણ ક્રમિક આગેકૂચને. બીજી એ વાત છે કે એ પરંપરા સ્પષ્ટરૂપપણે નિશ્ચયપૂર્વક સ્થાપિત કરી રહી છે કે દૃશુઓને ઐલપ્રવાહ વાયવ્ય ખૂણા દ્વારા આગળના (ઉત્તર-પશ્ચિમના) પ્રદેશોમાં વધતો રહ્યો હતો કે જ્યાં એઓએ અનેક રાજ્યોની સ્થાપના કરી હતી અને એવા એ પ્રદેશોમાં એ પ્રજાઓમાં ભારતીય ધર્મને દાખલ કર્યો હતો.' 241 yesi "it is said that five generations afterwards they (ie. Druhyus) began to multiply and in time founded many principalities in the mlechha countries in the northern region beyond India. They would have formed the dominant kshatriya class there and have also carried their religion there." (Ibid P. 264) . કહેવામાં આવે છે કે પાંચ પેઢીઓ પછી શુઓ વધવા લાગ્યા અને સમય વીતતાં આગળ ભારતીય ઉપખંડની ઉપરની બાજુના સ્વેચ્છ પ્રદેશોમાં એમણે અનેક નાનાં નાનાં રાજ્યોની સ્થાપના કરી. એમણે ત્યાં પ્રભાવક ક્ષત્રિય વર્ગને આકાર આપ્યો હશે અને ત્યાં પોતાના ધર્મ (સંપ્રદાય)ને