________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 316 42. ગૌરાંગ પ્રજાનું ઉદ્દભવસ્થાન - કેશવરામ કા. શાસ્ત્રી સાયણભાષ્યની સાથે ઋગ્યેદસંહિતાનું સ્વ-જર્મન વિદ્વાન ડૉ. મૅસમૂલરે સંપાદન કર્યું ત્યારે એના ત્રીજા ગ્રંથની પ્રસ્તાવના (બીજી આવૃત્તિ વખતે પ્રથમ ગ્રંથની પ્રસ્તાવનામાં) સન ૧૮૫૬માં (પૃ.૪૨) “આર્યન નૅશન” ('આર્યપ્રજા')નો ઉલ્લેખ કરેલો. એ પૂર્વે કોઈપણ પાશ્ચાત્ય વિદ્વાને પ્રજા કે વંશ (race)ના વાચક તરીકે ‘આર્ય' સંજ્ઞાનો ઉલ્લેખ કરેલો જાગવામાં આવ્યો નથી. આ પૂર્વે અડધી સદીની એક વાત નોંધવા જેવી છે. જેવી કે "Adelung, the father of comparative philology who died in 1806, placed cradle of mankind in the valley of Cashmere, which he identified with paradise. To Adelung we owe the opinion which was prevalent so widely, that since the human raccoriginated in the east, the most western nations the Iberians and Celts, must have been the first to Icavc thc parcnt." (The origin of the Arians by Issacc Tayler, London, 1889. p.9.). “તુલનાત્મક ભાષાશાસ્ત્રના જનક એડેલુગે (મૃત્યુ 1806) માનવજાતિનું પારણું કાશ્મીરની ઘાટીમાં બતાવ્યું હતું, જે કાશ્મીરને એણે સ્વર્ગ કહેલું માનવકુળનો જન્મ પૂર્વના દેશમાં થયો છે એવા વ્યાપક બનેલા મતના વિષયમાં એડેલુંગનું આપણી ઉપર ઋણ છે. આ કારણે તદ્દન પશ્ચિમના સાઈબેરિયનો અને કેલ્ટોએ માતૃભૂમિનો સૌથી પહેલો ત્યાગ કરેલો.” એક સમર્થ ભાષાશાસ્ત્રી જેકૉબ ગ્રિમે પાગ સ્પષ્ટ અભિપ્રાય આપેલો કે પ્રજાઓનું ઉત્થાન પૂર્વમાં થયેલું અને ત્યાંથી પશ્ચિમ તરફ પ્રજાઓનો ફેલાવો થયો. મૅક્સમૂલરે આ વાતનું સમર્થન ૧૮૫૯માં કરેલું કે “આર્ય