________________ 285 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 0 શ્રીમદ્ સરકાર ગાયકવાડે જૈન સાહિત્ય માટે કરેલો પ્રયાસ 0 જેનોની વિવાહપદ્ધતિ 0 જેનોએ સ્ત્રીઓમાં જ્ઞાનપ્રસાર માટે શું કરવું જોઈએ 0 સ્ત્રીઓ માટે કસરતો ૨૦૭માંથી અહીં રજૂ કરેલા સાત જ વિષયો પરથી મોહનભાઈ કેવા વ્યાપમાં વિચારે છે તે જોઈ શકાશે. ‘હેરલ્ડ'ના દશમા વર્ષે પર્યુષણ પર્વ નિમિત્તે મોહનભાઈએ ખાસ “મહાવીર અંક કાઢવાની યોજના બનાવી. ત્યારે પણ એમણે મહાવીર-જીવનકવન સંબંધી 35 વિષયો સૂચવ્યા અને પર્યુષણ અને દિવાળી એમ બે પર્વો નિમિત્તે મહાવીર વિશે બે ખાસ અંકોનું પ્રકાશન કર્યું. આવા ખાસ અંકો પ્રગટ કરવામાં જ મોહનભાઈ તંત્રી તરીકે પોતાની ઈતિકર્તવ્યતા માનતા નથી. એક યોગ્ય વાચકો સુધી પહોંચીને યોગ્ય રીતે વંચાય એની પણ તેઓ ચિંતા કરે છે. તેઓ લખે છે : “અનેક વિદ્વાનોએ લીધેલા શ્રમની ખરી સફળતા તો ત્યારે જ થઈ શકે કે જ્યારે દરેક સ્થળે બિરાજતા અમારા મુનિવર્યો આ ખાસ અંકના લેખો પોતાના ગામના શ્રાવકોને વાંચી સંભળાવે અને એમાંના અતિ અગત્યના મુદ્દાઓ ઉપર વિવેચન કરી ભાવિક ભક્તોનું તે તરફ ખાસ લક્ષ ખેચે. ઉદારચિત્ત વિચારોનું વાતાવરણ કારણ કે વિચારમાંથી આચાર-ક્રિયા-કાર્ય સહજ ઉદ્દભવે છે.” | મોહનભાઈએ તંત્રી તરીકે બીજી એક ખાસ પ્રણાલી એ પાડેલી કે હિરલના પ્રત્યેક નવા વર્ષના પ્રથમ અંકમાં, પૂરા થતા વર્ષના અંકોમાં આવેલા લેખો વિશે એક સિંહાવલોકન - સરવૈયું રજૂ કરી જતા અને ' હેરલ્ડ'ના તંત્રી તરીકે આપવા પડતા સમયની ભારે ખેંચ પડતી હોવાથી અને અન્ય મોટી જવાબદારીઓ અદા કરવાની હોઈને ઈ.સ. ૧૯૧૫ના ડિસેમ્બરનો છેલ્લો અંક પ્રકાશિત કરી મોહનભાઈ છૂટા થવાનું વિચારે છે અને તે માટેનું એક છેલ્લું નિવેદન પણ તૈયાર કરે છે. પરંતુ ચાર માસમાં જ કૉન્ફરન્સ ભરાવાની હોઈ કૉન્ફરન્સના કાર્યવાહકો દ્વારા મોહનલાલ એમનું છેલ્લું નિવેદન પ્રગટ કરવાનું મુલતવી રાખે એવી વિનંતી થતાં વધુ ચાર માસ માટે મોહનલાલ હેરલ્ડ'ના તંત્રી તરીકે રહેવા સંમત થાય છે. પણ પછી તો છેક ૧૯૧૯ના જાન્યુ. - ફેબ્રુ.ના સંયુક્ત અંકના પ્રકાશન સુધી