SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 283 37. શ્રી મોહનલાલ હ. દેશાઈનું પત્રકારત્વ - કાન્તિભાઈ બી. શાહ જૈન-જૈનેતર સામયિકોની જૂની ફાઈલો ઉથલાવતાં શ્રી મોહનલાલ દ. દેશાઈનાં લખાણો વત્તા-ઓછા પ્રમાણમાં જે-જે સામયિકોમાં મળી આવ્યાં છે તેનાં નામો આ પ્રમાણે છે. “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ’,* જૈિન યુગ', 'જૈન', 'જૈન ધર્મ પ્રકાશ', 'જૈન પ્રકાશ”, “આત્માનંદ પ્રકાશ', “જન સત્ય પ્રકાશ', 'જૈન રિન્યૂ', ભારતીય વિદ્યા', 'શારદા', 'બુદ્ધિપ્રકાશ', 'બુદ્ધિપ્રભા', “સનાતન જૈન', 'જૈન સાહિત્ય સંશોધક' અને બીજાં કેટલાંક : આ બધાં પત્રો-સામયિકોમાં મોહનલાલ સતત લખતા જ રહ્યા, છેક 1910 આસપાસથી. એ રીતે તો એમનો પત્રકારિત્વ સાથે નાતો બંધાયેલો રહ્યો, પણ એમના જીવનમાં જેમ જેમ સમાજ સંદર્ભે જાહેર સેવાની અને સાહિત્યસર્જનની વિશેષ કામગીરી રહી છે તેમ પત્રકાર તરીકેની સેવા એ પણ એમની જિંદગીનું નોંધપાત્ર પ્રદાન છે. ' 'જૈન ગૂર્જર કવિઓ અને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” જેવા આકરગ્રંથો દ્વારા મોહનભાઈની એક સંશોધક-સંગ્રાહક-સૂચિકાર તરીકેની વિશિષ્ટ પ્રતિભા ઊપસે છે તેમ જ હેરલ્ડ' અને જન યુગના માનદ્ મંત્રી તરીકે લગભગ બારેક વર્ષ સુધી એમાણે જે સેવા બજાવી તે દ્વારા પત્રકાર તરીકે પણ એમની એક વિશિષ્ટ પ્રતિભા ઊપસે છે. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના આશ્રયે હેરલ્ડ'નો આરંભ ૧૯૮૫ના જાન્યુઆરીથી ગુલાબચંદ ઢટ્ટાના તંત્રીપદ નીચે થયેલો. ૧૯૧૨ના એપ્રિલથી મોહનભાઈ હેરલ્ડ'ના માનદ તંત્રી બન્યા. જોકે હેરલ્ડ'ના તંત્રી બન્યા આ લેખમાં હવે પછી બધે આ સામયિકનો ઉલ્લેખ હેરલ્ડ' નામથી કર્યો છે.
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy