________________ 265 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ પણ અમુક વર્ગના લોકો એવી માન્યતા ધરાવે છે કે કોઈ જીવને કોઈ બીજે જીવ મારતો હોય તો તેને બચાવવામાં બચાવનારને પાપ લાગે. એટલે હિંસાતરફી કે અહિંસા વિરોધી વિચારસરણની નવાઈ તો નથી જ. નવાઈ એક જ વાતની છે કે અહિંસાના સાચા સ્વરૂપને, તેની અસીમ શક્તિને તેની વ્યવહારુ ઉપયોગિતાને તથા તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિને સમજવાનો પ્રયત્ન કર્યા વિના જ અહિંસાને વગોવવાનો આ દેશમે પ્રયત્ન થી મળે છે, એટલું જ નહિ, પણ અહિંસાને પરમ ધર્મ તરીકે અપનાવનારા ધર્મ, ધર્મશાસ્ત્રો તથા ધર્માચાર્યો પાસેથી, તેઓ હિંસાનો ઉપદેશ શીખો તેવી અપેક્ષા પણ સેવવામાં આવે છે. વસ્તુત: આજે તો, આ દેશની પ્રજા ખરેખર નિર્માલ્ય બની ગયાનું લાગતું હોય તો તેનાં સમાજશાસ્ત્રીય કે માનસશાસ્ત્રીય કારણો, વિચારકોએ ઇતિહાસમાંથી ખોળી કાઢવાં જોઈએ. એ દષ્ટિએ તપાસવામાં આવશે તો સહેજે જ જણાઈ આવશે કે આ પ્રજાની પડતી કે નિર્માલ્યતા માટે અહિંસા અથવા એવો કોઈ નૈતિક-ધાર્મિક આદર્શ જવાબદાર નથી, પરન્તુ અહીંના મનુષ્યોમાં તેમ જ ધર્મસંપ્રદાયોમાં પરસ્પર માટે પ્રવર્તતાં ઈર્ષા, દ્વેષ, કુસંપ અને એકમેકને બરબાદ કે ખતમ કરવાની મનોવૃત્તિ જેવાં ગુનાહિત વલણો જ તે માટે જવાબદાર છે. આ દેશના ધર્મોના ધર્મગુરુઓએ પોતાનું વર્ચસ્વ વધારવા માટે, ધર્મનાં મૂળભૂત તત્વો-અહિંસા, સત્ય વગેરેનું બલિદાન આપવામાં પાછું વાળીને નથી જોયું. એમણે ધર્મના ઓઠા હેઠળ પોતાની વિજયયાત્રાઓ પ્રવર્તાવી છે અને જે પોતાના ધર્મને ન સ્વીકારે તેનું નિકંદન કાઢી નાખવામાં તેમણે ધર્મનો દિગ્વિજય માન્યો છે. આવા ધર્માચાર્યોના મુદ્રાલેખો કાંઈક આ પ્રકારના હતા: 1. “પ્રતશતરો વેદ્દા: 98ત: સશ ધ” અર્થાત, આગળ ચાર હાથમાં કુરાન !' 3. “એક હાથમાં ધર્મયુદ્ધની બંદૂક અને બીજા હાથમાં બાઈબલ!' 4. “કમરે કિરપાણ અને માથે ગ્રંથ સાહેબ!' અને હવે વિચારીએ કે આ સ્થિતિમાં, ધર્મના બહાને પ્રસરતી આવી હિંસાને વખોડી કાઢે કે ન સ્વીકારે તેવા અહિંસાપ્રધાન ધર્મ કે ધર્મોપદેશને નિર્માલ્યતાનું કારણ ગણાવવામાં કેટલું ડહાપણ છે? સભાગે, ઉપર વર્ણવલા મુદ્રાલેખોની હારમાળામાં હજી સુધી, “એક હાથમાં આગમ અને બીજા હાથમાં આગ” - આવો મુદ્રાલેખ લઈને જૈન ધર્મે કયારેય હોડ નથી