________________ 248 માધવાનલ કામકુંદલા ચોપાઈમાં કામકુંદલાનો પ્રશ્ન 2. अस्मद् गृहे देवनागश्चलनशक्ति-विवर्जितः / __वृक्षछाया न दिशति, तस्याहं कुलबालिका // 8 // અમારા ઘરમાં હલન ચલનની શક્તિ વગરનું તેમજ જેની છાયા દેખાતી નથી એવું વૃક્ષ (લાકડાં?) અને નાગ (ખીલા) છે. તે કુળની હું બાલિકા છે. માધવનો ઉત્તર સુથારણ (?) કામકુંદલાનો પ્રશ્ન 2. સમદ્ ગૃહે પુત્રીયં નાd, શિરો તણ્ય ન વિદ્યતો जीवन्तं मानवं गलति, तस्याहं कुलबालिका॥९॥ અમારે ઘેર પુત્ર-પુત્રીને કારણે પેદા થયેલું જે છે તેને માથું નથી. તે જીવતા માણસને ગળે છે. તે કળની હું બાલિકા છે. માધવનો ઉત્તર દરજણ (નાનાં બાળકો માટે સીવાતાં ઝભલાને માથું ન હોય. વળી તે શરીરને ઢાંકી દે, ગળી જાય.) કામકુંદલાને પ્રશ્ન (દૂહો) कुण आधार जीवित तणउ? काम-घरणि कुणि थाइ?। श्रावण धुरि कुण फुल्लइ ? स्त्री परणी किहां जाइ ? // 10 // આનંદધરે આપેલ પાઠ - किं जीवियस्स सारं ? का भज्जा होइ मयणराअस्स? / किं पुष्फाण पहाणं? परिणीया किं कुणइ बाला? // જીવનનો આધાર કોણ? કામદેવની ભાર્યા કોણ? શ્રાવણ માસના આરંભે કોણ ખીલે છે? (પુષ્પોમાં પ્રધાન કોણ?) પરણીને સ્ત્રી કયાં જાય? માધવનો ઉત્તર 1. શ્વાસ-સાસ 2. રતિ-રઈ 3. જાતિ-જાઈ. 4. સાસરાઈ જાઈ - સાસરે જાય.