SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ 245 તે બાલા પ્રેમાતુર છે - રમણોત્સુક છે. પ્રત્યેક ક્ષણે રાત વીતતી જાય છે. તે બાળાએ શંકરના હારરૂપ સર્પ ચીતર્યો જેથી દીવો હોલવાઈ જાય. સર્પ વાયુભક્ષી છે. દીવાને પૂરતી હવા ન મળતાં તે હોલવાઈ જાય. (આનંદધર બીજી બે સમજૂતી પણ આપે છે. पिऊ पवासा चालिऊ, बाला विरहि जलाई / विसहर तिणि भीतिं लिख्यो, तिण दीवउ ओल्हाइ // પ્રીતમ પ્રવાસે ચાલ્યો; બાલા વિરહથી પ્રજળે છે. ભીંત ઉપર તેણે વિષધર-સર્પ ચીતર્યો તેણે દીવો હોલવાય. सा बाला कामाकुला, पिउ पवासा आवियो गेहम् / बाला विरहजलाई, वासह विसहरो लिहियं // તે બાળા કામથી વ્યાકુળ છે. પ્રીતમ પ્રવાસેથી ઘેર આવ્યો છે. વિરહથી સંતપ્ત બાળાએ વાસગૃહમાં - શયનકક્ષમાં વિષધર ચીતર્યો.) કામકુંદલાનો પ્રશ્ન प्रिय! पर दीपइ नीपजइ, दंतामांहि समाइ / जिणि दीठइ प्रीउ रंजीइ सो तुं मेले माइ // 2 // વહાલા! દીવા ઉપર જે પેદા થાય છે અને (અણિયાળી આંખોમાં) છે પાંપણમાં જે સમાય છે, તથા જેને જોવાથી પ્રિય વ્યકિતને આનંદ થાય છે તે તું મને મેળવી આપ. માધવનો ઉત્તર કાજળ, મેશ. (સંપતવિજયજી દેતા’નો અર્થ ‘દાંત' કરે છે અને વધારાના ઉકેલરૂપે દાંતે ઘસવાની મસી' આપે છે. આ મસી તંબાકુ બાળીને બનાવવામાં આવે છે.) કામદલાનો પ્રશ્ન डुंगर-कडणइ घर करइ, सरली मूंकि धाइ / सो नर नयणे नीपजइ, तसु मुझ साद सुहाइ // 3 // ડુંગરની કરાડમાં જે ઘર કરે છે, (પાંખો છતાં) જે સીધી દોટ મૂકે છે તે નર નયનમાંથી આંસુમાંથી પેદા થાય છે. તેનો સાદ (અવાજ) મને સુખ આપે છે.
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy