SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ 244 માધવાનલ કામકુંદલા ચોપાઈમાં તો પૂરું પાડે જ છે પણ તે ઉપરાંત બુદ્ધિને પણ કરે છે. માણસ વ્યવહારજ્ઞાન, એની ઝીણવટભરી સૂઝ-સમજ, એની બુદ્ધિની તીવ્રતા અને ગહરાઈ, એની હાજર જવાબી - એ બધાનાં પારખાં સમસ્યાઓમાં થાય છે. વર-વધૂની પસંદગીને ટાણે તેમ જ તાજાં પરણેલ પ્રણયીઓની પ્રથમ મિલન શર્વરીની મહેફિલ રૂપે સમસ્યાઓ માધવાનલની કથા' જેવી રચનાઓમાં મળે છે. આનંદધરે એકાદ ડઝન સમસ્યાઓ આપી છે, ગણપતિએ નવા ડઝન, કુશલલાભે ચારેક ડઝન. એમાં પાંચ-સાત સમસ્યાઓ એવી છે કે જે એકથી વધુ રચનામાં મળે. આ લેખ માટે વાચક કુશલલાભ રચિત 'માધવાનલ કામકુંદલા ચોપાઈમાં મળતી સમસ્યાઓ પસંદ કરી છે. કૃતિની વાચના માટે શ્રી આનન્દ કાવ્ય મહોદધિ - મૌક્તિક સાતમું (પૃ. 63 થી 98) તેમજ ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝમાં પ્રા. મંજુલાલ 2. મજમુદાર સંપાદિત ‘માધવાનલ * કામકંડલા પ્રબંધ'માં પરિશિષ્ટ રૂપે મળતી રચનાઓ-આનંદધર વિરચિત સંસ્કૃત ‘માધવાનલાખ્યાન' તથા વાચક કુશલલાભરચિત ‘માધવાનલ કામકુંદલા ચઉપરનો ઉપયોગ કર્યો છે. આ.કા.મ. ના સંપાદક મુનિશ્રી સંપતવિજયજીએ સમસ્યાઓની સમજૂતી પણ આપી છે. પણ ઘણે સ્થળે એમની સમજૂતી સાથે સહમત ન હોતાં આ લેખ રજૂ કર્યો છે. પ્રશ્ન કોણે પૂછયો અને ઉત્તર કોણે આપ્યો તેના ઉલ્લેખ સહિત આ સમસ્યાઓની અહીં રજૂઆત કરું છું. (ગાથા) માધવનો પ્રશ્ન 1. कठुक्खरेण विहियं, मंदिरमज्झम्मि अद्धरयणीए / સુથારે બાંધેલ ઘરમાં મધ્યરાત્રિએ બાલા સાપ ચીતરે છે. કહો સુંદરી! શા કારણે ? કામકુંદલાનો ઉત્તર सा बाला प्रेमागली, खिण खिण रयणी विहाई / તિળિ હર-હાર પડાવી૩, વરૂ તારૂ // 1. કાણકાર સુથાર. જે જમાનામાં સામાન્ય માણસોના આવાસ વાંસની ટટ્ટી અને ચીકણી માટીને મારાથી તૈયાર કરવામાં આવે તે જમાનામાં પૈસે ટકે સુખી માણસોના આવાસ તૈયાર કરવામાં મજબૂત લાકડાં વપરાતાં અને લાકડાં પર કોતરકામ * નશકાય પાણ થતું આમ બાલા' તે સંપન્ન કુટુંબની સ્ત્રી બાગાય.
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy