SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શૌરાષ્ટ્રનું લોકસાહિત્ય 239 લોકવાર્તાઓ મૂકી શકાય. લોકવાર્તાનો ઉદ્દભવ અત્યંત પ્રાચીન સમયમાં થયો છે એવું માનવામાં આવે છે. એમાં નામકરણ અથવા સંબોધનની દષ્ટિએ બાળા, પ્રેમકથા, વ્રતકથા, હાસ્યકથા-ટુચકા, કહેવત કે દષ્ટાંતકથા, શૌર્યકથા, ચમકારલક્ષી અદભુતકથા, દંતકથા, શિકારકથા, સાહસકથા, સંતકથા જેવા * કારો મળી આવે છે. વસ્તુની દષ્ટિએ ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક મધ ઐતિહાસિક, કલ્પિત કે કાલ્પનિક, ચમત્કારી, નૈતિક, રાજનૈતિક અને મનોરંજન માટે, ધર્મ સંપ્રદાયબોધ માટે અને બુદ્ધિના વિકાસ માટે રચાયેલી વાર્તાઓ વિષયની દષ્ટિએ શૌર્યપ્રધાન, હાસ્યપ્રધાન, નીતિપ્રધાન, કુતૂહલ પ્રેરક, નિવેદપ્રધાન, ભકિતપ્રધાન વાર્તાઓ, દેવીદેવતા સંબંધી, રાજા-રાણી સંબંધી, હિતમ-પ્રિયતમા સંબંધી, પશુપક્ષી સંબંધી, રાક્ષસ, ભૂત-પ્રેત-ચુડેલ સંબંધી, જ-મંત્ર-તંત્ર સંબંધી, સાધુ-ફકીર-સંત સંબંધી, શિકાર કે વીરતાભર્યા પ્રસંગો બધી વાર્તાઓ, હિન્દુધર્મ, ખ્રિસ્તી ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ કે મલીમ ધર્મ સબંધી વાર્તાઓ, કદની દષ્ટિએ લાંબી, ટૂંકી, સરલ, જટિલ કે ટૂચકા પ્રકારની વાર્તાઓ, રસની દષિએ શૃંગાર, વીર, અદભુત, શાંત, હાસ્ય, ગિ કે ભક્તિ રસની વાર્તાઓ, કાળની દષ્ટિએ પ્રાચીન કે મધ્યકાલીન સમયની વાર્તાઓ, પ્રકૃતિની દષ્ટિએ સર્વદળીય અને સ્થાનીય વાર્તાઓ, એમાં ધટનાપ્રધાન, પાત્ર કે ચરિત્રપ્રધાન, ભાવનાપ્રધાન, પશુ-પક્ષીપ્રધાન, પ્રભાવ-પ્રધાન કે વિધિ-વિધાનપ્રધાન વાર્તાઓ ગણાવી શકાય. કથનશૈલીની દષ્ટિએ સૌરાષ્ટ્રની લોકવાર્તાઓનું વિભાગીકરાણ કરીએ ત્યારે (1) પરંપરાગત સામાજિક કથનરીતિ-જેમાં દાદીમાની વાર્તાઓ, વ્રતકથાઓ, બાળકથાઓ, પરીકથાઓ વગેરે ગદ્યમાં રજૂ થતી વાર્તાઓ આવી શકે. (2) વ્યવસાયી વાર્તાકારો (જે લોકસાહિત્યના વાહકો હોય) ની કથનશૈલી મુજબની ઘમય લોકવાર્તાઓ જેમાં ચારાગશૈલીની, બારોટ શૈલીની (જેમાં સિતાર જેવાં તંતુવાઘ સાથે રજૂ થતી બારોટ, રાવળ, ઢાઢી, મીર, લંધા જેવી પાચક જતિઓ દ્વારા વાર્તાની રજૂઆત થતી હોય. (3) રાવણહથ્થો જેવા તંતુવાઘ સાથે રજૂ થતી હરિજન, બારોટ, તુરી વગેરે વાચક જાતિઓની હરિજનશૈલીની વાર્તાઓ. (4) માંડ, વહીવંચા, ભરધરી, નાયક, બહુરૂપી વગેરે જાતિઓની વિશિષ્ટ કથનશૈલી ધરાવતી વાર્તાઓ. (5) ભવાઈ રજૂ પહેલાં બેસણાં સમયે તરગાળા ભવાયા જાતિના કલાકારો દ્વારા રજૂ બી ભવાઈ લીની વાર્તાઓ અને (6) માગભટ્ટ કે કથાકાર બ્રાહ્માગ હર રજૂ થતી આખ્યાનશૈલીની વાર્તાઓમાં સૌરાષ્ટ્રની લોકવાર્તાઓને વહેંચી શકાય. પ્રેમ, શૌર્ય, ભક્તિ, શક્તિ, સાંદર્ય, આદર-આતિથ્ય અને ખાનદાની
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy