________________ 238 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ સંસારજીવનની વિવિધ અવસ્થાઓ વર્ણવતાં, સામાજિક વિષય-વસ્તુ ધરાવતાં લોકગીતો પણ સૌરાષ્ટ્રના લોકહિત્યમાં અગત્યનો હિસ્સો ધરાવે છે. દામ્પત્યજીવનની મધુરતા વાર્ણવતાં ઊર્મિગીતો, રાધાકૃષણ કે રામસીતાને નામે પતિ-પત્નીના હાલભર્યા સ્નેહજીવનનું ચિત્રણ કરતાં સ્નેહગીતો, રૂસણાં, અબોલા, વેરાગચાકરી, ક્રૂરતા, તકરાર, કજોડાં કે દારૂ-જુગારની બદીઓએ જન્માવેલી સાંસારિક મુશ્કેલીઓનું આલેખન ધરાવતાં કરુણ ગીતો, કોડભરી, વહુવારુ અને કવળાં સાસરિયાંની કહાણી, સાસુના સીતમ, સંયુક્ત કુટુંબની કુરૂઢિઓ, મેગાનો માર, દિયર-ભોજાઈ કે નણંદ-ભોજાઈના વેગનું આલેખન કરતાં ગીતો, શોકનું સાલ, બંધુપ્રેમ, ભગિનીપ્રેમ-માતૃપ્રેમ કે પિતૃપ્રેમને રજૂ કરતાં પ્રસંગગીતો સમાજને ખાતર બલિદાન આપનારાઓની અમર કહાણી રજૂ કરતાં બાર બાર વરસે નવાણ ગળાવ્યાં... જેવાં કાગ્ય અને વીરત્વ " સભર કથાગીતો, પતિપ્રેમથી વંચિત રહેલી ખારવાગોની મનોવેદના વાર્ણવતાં વિરહગીતો અને પરકીય પ્રેમસંબંધો વ્યક્ત કરતાં ગીતોની સાથોસાથ જસમાં ઓડણ, સધરા જેસંગ, રાજા ગોપીચંદ, રાજા ભરથરી, નરસિંહ-મીરાંબાઈ જેવા સંતોના ચરિત્રો આલેખતાં ધોળ-આખ્યાનો, કેટલીક વાર બહારવટિયાઓના શોર્યનાં વર્ણન કરતા રાસડાઓ, છપ્પનિયો કાળ, ભોગાવાની રેલ કે કોઈ વિનાશકારી આપત્તિ માનવી પર પડી હોય તે સમયનાં વર્ણનો ધરાવતાં પ્રાસંગિક ગીતો અને ધોળ, મંગળા આરતી, થાળ, આંગી, હમચી, શણગાર, ધૂન, કીર્તન, પદ, મહિના, વાર, તિથિ, પહોર, કકડા, કડિયા, ડીંગ વગેરે નામ ધરાવતાં વિશિષ્ટ પ્રકારનાં લોકગીતોએ સૌરાષ્ટ્રના લોકસાહિત્યને વિશિષ્ટ પરિમાણ બક્યું છે. - લોકસમાજના દરેકે દરેક ઘરના નોખાનિરાળા પ્રસંગોને કે બાળકથી માંડી ડોસાડગરા અને સાધુસંતથી માંડી બહારવટિયા સુધીનાં પાત્રોનાં ગીત, વાર્તા, કહેવત કે નૃત્ય-નાટયમાં ઉપસ્થિત કરીને વર્ણવી બતાવ્યા છે. સૌરાષ્ટ્રમાં લોકસાહિત્યની ભાવસૃષ્ટિ તેથી અતિ વિશાળ ફલક ધરાવે છે. દાતણ, નાવણ, ભોજન, મુખવાસ અને પોઢાણ સુધીની દરેક પ્રક્રિયાઓનું એમાં નિરુપણ થતું આવ્યું છે - ને એમાં મહત્વનો ભાગ ભજવ્યો છે લોકસંગીત. પરંપરિત દેશી રાગ-ઢાળ-તાલમાં ઊર્મિની મુક્ત અભિવ્યક્તિ થઈ શકે એવા નર્તન સાથે આ લોકગીતો સાહજિક રીતે જ લોકકંઠે સચવાતાં આવ્યાં છે. લોકવાર્તાઓ સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં લોકગીતો પછી અત્યંત લોકપ્રિય પ્રકાર તરીકે