________________ ઉપદેશ-પદ'નાં બુદ્ધિચાતુર્યનાં કથાનકો મનોવૈજ્ઞાનિક ભૂમિકા પર થયું છે. વારાંગના પાસે જનાર પુરુષ પોતાનાં વડીલો, પત્ની, પુત્ર-પુત્રીઓ અને આખા સમાજની સામે થઈને જાય છે. આવું કરે છે તે કેવળ એક નાવીન્યજન્ય આકર્ષણને કારણે ને કોઈ એક-બે . પ્રસંગે આવાં આવાં બળો કે વિનોની સામે થઈને પણ સ્ત્રીએ, વારાંગનાએ, કોઈ પુરુષને કાયમ માટે પોતાનો બનાવી રાખવો હોય તો એણે એ પુરુષને ખાતરી કરાવવી જોઈએ, પ્રતીતિ કરાવવી જોઈએ કે એને વારાંગના જેટલી ઉત્કટતાથી ચાલે છે, એટલું જગતમાં બીજુ કોઈ ચાહતું નથી! આ શિખામણ આપે છેકુટ્ટની, નવી વારાંગનાને-જે કોઈ એક પ્રેમીને, સતત પ્રેમીને ઝંખે છે તેને! ને એ માટે યુવાન વારાંગનાએ શું શું કરવું પડે એનું વ્યવસ્થિત મનોવૈજ્ઞાનિક ભૂમિકાનું જ્ઞાન આપે છે કુટ્ટની ને એ જ તો છે 'ટ્ટની મતમ!' આમ પ્રાચીન કથાસાહિત્યમાં વાત હોય રાગની કે પછી વૈરાગ્યની, એનો પાયો ચાણાયો હોય છે, મનોવૈજ્ઞાનિક ધારણાઓ પર, પરંતુ એ દષ્ટિએ આપણે આપણા સાહિત્યને જોયું-તપાસ્યું જ નથી, એથી અહીં એ દિશાનો એક અલ્પ પ્રયાસ પ્રસ્તુત કર્યો છે. *