________________ 214. એ બધું કેવળ કલ્પના, સંવેદનાને આધારે કથાકારો, કવિઓ, કલાકારો જાગતા હતા ને એની લાક્ષણિકતા વાર્ણવતા પણ હતા. વૃત્તિ કેટલી સાહજિક, અદમ, ઉત્કટ છે, એનું અસાહજિક શમન કેવાં કેટલા દુષ્પરિણામો લાવે છે એનાં અનેક કથાનકો, સરસ્વતી પર મોહ પામતા બ્રહ્મા, ભીલડીને મેળવવા ઝંખતા ભગવાન સદાશિવ જેવી દેવકથાઓમાં તથા 'મહાભારત' જેવા મહાકાવ્યમાં સ્થળ-સ્થળે વિપુલ પ્રમાણમાં મળે છે. જેના પ્રવાહના કથાનકોની તો એ જ એક વિશેષતા છે. એનું કારણ એ છે કે મોક્ષ કે કેવળજ્ઞાનની પ્રાપ્તિનું પ્રયોજન પણ અંતે તો કોઈ પણ વ્યક્તિના આંતરની, એના ચિત્તની ઊર્ધ્વીકરણની જ પ્રક્રિયા છે. એ રીતે એ વ્યક્તિએ પોતે જ અમુક નિશ્ચિત માનસિક ભૂમિકા - Mons Rca મન:સ્થિતિ-સિધ્ધિ કરવાની હોય છે. અને એ સિદ્ધિ કરવા ઝંખનારને પહેલાં તો પોતાની જ પ્રકૃતિગત અનેક ઇચ્છાઓ, આકાંક્ષાઓ, દૈહિક અને માનસિક જરૂરતો સામે જ યુદ્ધ માંડવું પડે છે, સતત ને આંતરિક! આવું કરનાર અનેક ચડ-ઊતર પાર કરીને છેવટે પોતાના મન પર પોતાનું અસિત અને ઈતિ શાસન સિદ્ધ કરી શકે છે. આ અવસ્થા પ્રાપ્ત થાય અને છેવટે એને જાત સાથેના એક તરફના સતત યુદ્ધ અને બીજી તરફના સતત પરિચયને અંતે પોતાનું જ એક નવું, તદ્દન જુદું જ રૂપ જોવા મળતું હોય છે. આજની પરિભાષામાં કહીએ તો એને ત્યારે જ, સ્વોત્કર્ષ કે આધ્યાત્મિક અનુભૂતિ અને ઉન્નતિ દરમિયાન, અસંપ્રજ્ઞાત ચિત્તનો સહજ અનુભવ થાય છે અને ત્યારે જ એ પોતે પોતાના ખરા રૂપને, પ્રાકૃત સ્વરૂપને પણ જાણે છે. બુધ અને મહાવીરની કરાણા પણ આ કારાગે જ પ્રગટી અને નવાં પરિમાણ સંસિદ્ધા થઈ. આ પ્રક્રિયા જ અંતે આ સાધના-પંથનાં વ્રતો, નિયમો, ધારણાઓ બાંધીને નવા જ પંથના પ્રયાણનું નિમિત્ત બની. આમ પોતાના જ વિકાસની, ઉન્નતિની મથામણે આંતરદર્શન કરાવ્યું તો બીજી તરફ મોહ અને વ્યામોહનાં કારણો અને વારણોની જાણે એને મોહની અને સંસારની ક્ષણિકતા અને નશ્વરતા વિશે ઉપદેશ દેતો કર્યો. આ બન્ને પરિસ્થિતિને અંતે જ કથામાં મનનાં ગૂઢ વલણો અને રહસ્યોનો પ્રવેશ થયો અને કથાએ સાધકને બાધક બનતા વ્યામોહથી મુક્ત કરે એવાં મનોવૈજ્ઞાનિક સારવાર જેવાં વલણો અપનાવ્યાં. ચાતુર્ય તો કથાઓનો પ્રાણ છે. ધૂર્ત, ચોર, કામી ઇત્યાદિ પરિસ્થિતિના