________________ 207 તો પછી શિક્ષણનું માધ્યમ કયું હોઈ શકે ? જ્યાં લગી માધ્યમનો પ્રશ્ન છે ત્યાં લગી તો માતૃભાષા એ જ એક વિકલ્પ છે. માતૃભાષાને માધ્યમ તરીકે સ્વીકારતાં– 1. આત્મસાત કરવાની સરળતા રહે છે. ભાષક પાસે એને કૌટુમ્બિક ઉપલબ્ધ હોઈ એ એમાં સરળતાથી પ્રવેશી જે કંઈ મેળવવા ઇચ્છે છે તે મેળવી શકે છે. 2. માતૃભાષાના શિક્ષાગની અને શિક્ષણના માધ્યમની એક આગવી પરંપરા હોય છે. માતૃભાષાનું શિક્ષણ બાળક બોલતાં શીખે છે ત્યારથી એને મળે છે અને શિક્ષાગનું માધ્યમ જ્યારથી શિક્ષણ અસ્તિત્વમાં આવ્યું ભારથી મળે છે. આમ બેવડો લાભ મળતો હોવાથી શિક્ષણાથીને ઘડવામાં સરળતા રહે છે અને કૌશલ પ્રાપ્ત કરી શકાય છે. 3. માતૃભાષા દ્વારા અભિવ્યક્તિની ખીલવાળી જેટલી રીતે કરવી હોય - તેટલી રીતે થઈ શકે. કેટલુંક તો ભાષાપ્રયોગો તરીકે વિકસાવી શકાય છે. માતૃભાષાનાં દલદલ જિહવા લેવાને લીધે વિના સંકોચ, વિના મૂંઝવાગ અભિવ્યક્તિ થઈ શકે છે. અભિવ્યકિતકૌશલ્યની તરાહો માતૃભાષા દ્વારા જ વિકસી-વિસ્તરી શકે છે. 4. માતૃભાષા એ અન્ય ભાષાઓના શિક્ષણની ગંગોત્રી છે. માતૃભાષાની નિપુણતાથી જ અન્ય ભાષાને શીખી શકાય છે. વિશ્વમાં અન્ય ભાષાઓ દ્વારા માતૃભાષાનું શિક્ષણ અપાયું હોય એમ બન્યું નથી. એમ થાય તો એ સૂકા છોડને પાણી પાયા જેવો પ્રયોગ છે. માતૃભાષાનાં ઘટકો દ્વારા તો એ શીખી શકાય. એટલે કે જે માતૃભાષા ન જાગે તે અન્ય ભાષાને કદી ના પામે. 5. માતૃભાષા દ્વારા જ સરકાર, સંસ્કૃતિનો વારસો જાળવી શકીએ. વિદ્યાર્થી-ભાષક પોતાની માતૃભાષાન છોડે છે ત્યારે એ પોતાના વારસો અને વૈભવને ખોઇ દે છે અને એ અન્ય ભાષાને અપનાવે છે ત્યારે પણ એ વૈભવને અને વારસાને અધૂરો કે અધકચરો પામે છે. અર્થાત માતૃભાષાની સમૃદ્ધિ ખોઈ, અન્ય ભાષાની અલ્પતાને મેળવતાં બેય હાથે