SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ છે ભાષા છે. એથી વિશ્વના દેશોમાં ઘણી સંસ્થાઓ આ ભાષાને શિક્ષણના માધ્યમ તરીકે સ્વીકારે છે. અંગ્રેજી ભાષાનું જ્ઞાન અપાય, એની સામે કોઈને વાંધો ન હોય. પણ સમગ્ર શિક્ષણને એ ભરડામાં લે એ ઉચિત નથી લાગતું. વિશ્વમાનવની ઝંખના તો જૂજ માણસોને હોવાની. એ જૂજ વ્યક્તિઓ માટે શિક્ષણનું માધ્યમ લાદવું તે કેટલું ઉચિત? વળી જે ભણે છે તે સંતાનને તો કોઈ ઇચ્છાની વાત જ નહિ! એક તો એની એવી અવસ્થા હોય છે કે એ જાતે કોઈ નિર્ણય ન લઈ શકે ને જ્યારે એની એ પ્રકારની સમજ કેળવાય ત્યારે એનો લાચારી સિવાય બીજો વિકલ્પ હોતો નથી. સંતાનને મા-બાપ એમની મહત્ત્વાકાંક્ષામાં ગળે ઘંટ બંધાવી દે તે બરાબર નથી. બાળક એની પકવ વયે આંતરરાષ્ટ્રીય ભાષામાં સજ્જતા કેળવવા ઇ તો એને કોઈ રોકતું નથી. પણ કુમળા છોડને કઢંગી રીતે ઉછેરવાની મા-બાપની ઝંખના અંતે તો એમની ક-સેવા કરે છે. આંતરરાષ્ટ્રીય ભાષા વહીવટ અને વ્યવહાર માટે જરૂરી હોય તો એટલા પૂરતી સજ્જતા ગમે ત્યારે કેળવી લેવાતી હોય છે. એ માટે માધ્યમનો બોજ લાદી દેવાની જરૂર નથી. 2. રાષ્ટ્રભાષા : એ રાષ્ટ્રની એકતા માટે અનિવાર્ય લાગે તો પણ એ માધ્યમ તરીકે આવશ્યક નથી લાગતી. રાષ્ટ્રભાષાનું શિક્ષણ અનિવાર્ય ખરું. તેથી તે માધ્યમ ન જ હોય. રાષ્ટ્રભાષાના પ્રચાર અને પ્રસાર માટે અનેક જોગવાઈઓ થઈ શકે. એ માધ્યમો દ્વારા એન ભાષક વર્ગ વધે એ માન્ય. આ જ સાચી રીત છે રાષ્ટ્રભાષાના શિક્ષાગની. 3. માતૃભાષા: માતૃભાષામાં જ શિક્ષણ આપી શકાય. શિક્ષણમાં કેળવણીનો મહિમા છે. આ મહિમા શિક્ષણનાં તત્ત્વો અને તોને પૂરેપૂરાં પામી-પ્રમાણીને જ થઈ શકે. શબ્દ કે સિદ્ધાનાની પૂરેપૂરી સમજ મેળવવી હોય તો એ માટે જે ભાષાને પૂરી સમજતા હોઈએ તે દ્વારા જ મેળવી શકાય. ભાષાને પૂરેપૂરી પામ્યાનો કે પામવાના પ્રયત્નનો દાવો એક માત્ર માતૃભાષા પર થઈ શકે. શિક્ષણની વિશિષ્ટતાઓ કે વિશેષતાઓ છે તે માતૃભાષા દ્વારા જ પ્રમાણી શકાય. અન્ય ભાષાઓની ગમે તેટલી સજજતા કેળવી હોય તો પણ ભાષાના નર્મ-મર્મ અને મહત્વને જે રીતે માતૃભાષામાંથી ઉકેલી શકાય અને પામી શકાય એ રીતે, અન્યથા નહિ. જે અર્થ-ગૂઢાર્થ કે બંગાઈને માતૃભાષાથી વ્યંજિત કરી-કરાવી શકાય છે તે બીજી ભાષાઓ દ્વારા હરગીઝ શક્ય નથી.
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy