________________ બા મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 203 કહીએ. સાહિત્યકૃતિમાં નિહિત સંવેદન, ભાવ-વિચાર, જીવન અને જગત વિશેનો અવબોધ ચિત્તકોષમાં દીર્ઘકાલ પર્યંત રહે છે ને આપણા ચિત્ત ઉપર પ્રભાવ પાડે છે. સાહિત્ય માત્ર તત્કાલ આનંદ આપીને લય પામી જતું નથી, એનો લય ચિત્તમાં વ્યાપે છે ને આપાગા ચૈતન્યનો અંશ બનીને રહે છે. આ રીતે ને આ અર્થમાં સાહિત્યના પ્રયોજનને સમજવાનું છે. સાહિત્યમીમાંસકોએ કાવ્યનાં પ્રયોજનો ગણાવતાં કાન્તાસંમિત ઉપદેશને પણ એક પ્રયોજન કર્યું છે. સાહિત્ય એની ર દિથી ચિત્તને સંસ્કારે છે, કરે છે ને સૂક્રમ પરિવર્તન પણ આણે છે. શિક્ષણ-વ્યવસ્થામાં સાહિત્યના શિક્ષણના સ્થાનનો મહિમા સામે આ દષ્ટિએ વિચારતાં ભાગ્યે જ કશું કહેવાનું