SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ 130 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 15. શિક્ષણ દ્વારા ચારિત્ર્ય ઘડતર - દિલાવરસિંહ જાડેજા શિક્ષાગનો હેતુ શિક્ષણનો હેતુ વ્યક્તિમાં જે કોઈ ઉમદા અને ઉત્તમ હોય તેને પ્રગટ કરવાનો છે. જીવનનો હેતુ સમજવામાં વ્યક્તિને શિક્ષણ સહાયરૂપ થાય છે. વ્યવહાર જગતમાં માર્ગ કાઢવાની ક્ષમતા પણ શિક્ષણ દ્વારા વ્યક્તિને પ્રાપ્ત થાય છે. ચારિત્ર્ય ઘડતરની સંકુલ પ્રક્રિયા ( શિક્ષાગ દ્વારા વિદ્યાર્થીના ચારિત્ર ઘડતરનો પ્રશ્ન સંકુલ અને સૂક્ષ્મ પ્રકારનો ગણાય. એની તૈયારી ફોર્મ્યુલા આપવી મુશ્કેલ છે. ચારિત્ર ઘડતરનાં તૈયાર પેકેટ આપવાનું શક્ય નથી. કેમ કે ચારિત્ર્ય ઘડતર કોઈ ફોર્મ્યુલા અનુસાર તૈયાર થતી ચીજવસ્તુ (પ્રોડક્ટ) નથી, પરંતુ જીવનભર ચાલતી એક પ્રક્રિયા (પ્રોસેસ) છે. એ પ્રક્રિયાનો આરંભ કરવાનો ઉત્તમ સમય વ્યક્તિનું બચપણ છે. વ્યાપક સમાજ, વિદ્યાર્થીનું કુટુંબ, શૈક્ષણિક સંસ્થાનું વાતાવરણ-વિશેષ, સંસ્થાના શિક્ષકોને પ્રભાવ, વિદ્યાર્થીની નિષ્ઠા, ઈ. ની અસર ચારિત્ર્ય ઘડતર પરત્વે થતી હોય છે. ચારિત્ર્યવાન વ્યક્તિ જ અન્યમાં ચારિત્રનું સંસ્કારબીજ રોપી શકે તે દેખીતું છે. દીવેથી દીવો પ્રગટાવવા જવા આ વાત છે. આમ છતાં ચારિત્રનિર્માણ માટે આપણી શૈક્ષણિક સંસ્થાઓ માટે નીચેના જેવી કેટલીક બાબતોનો વિચાર થઈ શકે. વાર્તાકથન આપાગી શાળાઓની પ્રાર્થનાસભાઓમાં તેમજ શાળાના વર્ગોમાં સત્ય, શિવ અને સૌંદર્યનાં તત્ત્વો ઉપર ભાર મૂકતી વાર્તાઓ-દેશ પરદેશના સાહિત્યમાંથી વખતો વખત કહેવાવી જોઈએ. ઉપદેશાત્મક વ્યાખ્યાનો કરતાં વાર્તાકથન અને
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy