________________ 89 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ વાસ્તુશાસ્ત્રના જાણકાર હતા અને તેમને પણ શિલ્પીઓને માર્ગદર્શન આપવાની કામગીરી સોંપવામાં આવી હતી. તેઓએ સં. ૧૫૮૭ના વૈશાખ વદ 7 સોમવારના રોજ એટલેકે શત્રુંજય તીર્થમાં થયેલી પ્રતિમાપ્રતિષ્ઠાને બીજે દિવસે ‘શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ'ની રચના કરી. (ઐતિહાસિક સારભાગમાં સુદ 7. દશવિલ છે તે ભૂલ છે.) સૌભાગ્યમંડન પંડિત (કે ગણિ) વિનયમંડનના શિષ્ય હતા. એમણે "શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ'ની પ્રથમ દર્શપ્રતિ સં. 1587 વૈશાખ વદ ૧૦ને ગુરુવારના રોજ લખી હતી. પ્રબંધ'માં અન્યત્ર એમનું નામ નથી પરંતુ આ પ્રતલેખન પરથી જણાય છે કે તેઓ શત્રુંજ્યઉદ્ધાર પ્રસંગે હાજર હતા. એમને નામે સં. ૧૬૧રનો પ્રભાકર રાસ' નોંધાયેલ છે, પણ એ માહિતીની પ્રમાણભૂતતા અંગે સંદેહ છે. જયવંત પંડિત, પાછળથી સૂરિ, વિનયમંડનના શિષ્ય હતા. એમનું અમરનામ ગુણસૌભાગ્યસૂરિ હતું. એ શાસ્ત્રજ્ઞ અને રસજ્ઞ કવિ હતા. એમણે સં. ૧૬૧૪માં “શૃંગારમંજરી' અને સં. ૧૬૪૩માં “ઋષિદના રાસ' એ બે રાકૃતિઓ તથા બીજાં ઘણાં સ્તવનાદિ પ્રકારનાં કાવ્યો રચેલ છે. એમણે સં. ૧૬૫રમાં ગોપાલભટ્ટની 'કાવ્યપ્રકાશ' પરની ટીકા લખાવીને ભંડારમાં મુકાવી હતી. એ શત્રુંજયઉદ્ધાર પ્રસંગે ઉપસ્થિત હોય એવું અનુમાન થયું છે, પરંતુ “શૃંગારમંજરી” પોતે લઘુવયે આનું એમણે જણાવ્યું હોવાથી એ શક્ય લાગતું નથી. સમાધીર, રત્નસાગર અને જ્યમંડનની ગુરુપરંપરા નિશ્ચિત થઈ શકતી નથી. સમાધીરને શત્રુંજયઉદ્ધાર વખતે સાધુપરિવાર માટે આહારપાણી લઈ " આવવાનું કામ, બીજાઓની સાથે, સોંપાયું હતું, રત્નાસાગર અને જયમંડને આ પ્રસંગે છમાસી તપ કર્યું હતું. છેવટે વંશવૃક્ષનું પ્રમાણભૂત ચિત્ર આ પ્રમાણે ઊભું થાય છે. વિજયરાજસૂરિ ધર્મરત્નસૂરિ વિદ્યામંડનસૂરિ વિનયમંડન ઉપાધ્યાય સૌભાગ્યરત્ન (સૂરિ) વિવેકમંડન વિવેકપર સૌભાગ્યમંડન જ્યવંત પંડિત ઉપાધ્યાય ગણિ પંડિત | (સૂરિ)