SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ 88 શત્રુંજય તીર્થોદ્ધારના પ્રતિકાના સૂરિવરનું વંશવા - “પ્રબન્ધ'ના રચયિતા વિવેકધીરગણિ કહે છે કે નાહીલિખં કુત્રાપિ હિનામ નિજ ગભીહૃદયાસ્તે, પાવ: સ્વોપશેષ ચ આવેણુ તૈનમ ન નમ (2, 133) (ગંભીર - ઉમદા હૃદય ધરાવતા તે ગુરુએ કયાંય પોતાનું નામ ના લખાવ્યું. પોતે રચેલાં સ્તવનોમાં પણ એમણે પોતાનું નામ ગૂંગું નથી.) વિદ્યામંડનસૂરિ, આ રીતે, નમ્ર સ્વભાવના જણાય છે. એ શિષ્યોને આગળ કરતા રહ્યા હોવાનું જણાય છે. આ પૂર્વે ચિતોડમાં પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથની પ્રતિષ્ઠા વખતે પોતે જઈ ન શકવાથી વિવેકમંડનને મોકલ્યા હતા. શત્રુંજયઉદ્ધાર વખતે પણ પોતે ઋષભદેવ અને પુંડરીકની મૂર્તિઓની સ્થાપના કરી પણ અન્ય મૂર્તિઓની સ્થાપના પોતાના શિષ્યો પાસે કરાવી હતી. વિનયમંડન પાઠક કે ઉપાધ્યાય ઉપરાંત ગણિ તરીકે પણ ઉલ્લેખાયા છે. જયવંતસૂરિ પોતાના આ ગુરુની ઘણી પ્રશંસા કરે છે અને સુરગુર સમા વિદ્યાવંત કહે છે. ધર્મરત્નસૂરિ તોલા શાહના સાંત્વન અર્થે એમને ચિતોડ મૂકીને જાય છે એમાં એમનું આ સાધુસમુદાયમાં મહત્ત્વભર્યું સ્થાન હતું તે સૂચિત થઈ જાય છે. શત્રુંજયઉદ્ધારનો પોતે વિચાર કરે ત્યારે એમાં સહાયરૂપ થવાનું કામ શાહે એમની પાસે માગી લીધું હતું. શત્રુંજયઉદ્ધારનો સંકલ્પ કર્યા પછી કમ શાહ એમને મળવા જાય છે અને એમનું માર્ગદર્શન માગે છે. એ એમને સર્વ શાસ્ત્રાર્થવિચારમાં દક્ષ અને સર્વ ઉચિત ક્રિયામાં સાવધાન પુરુષ તરીકે ઓળખાવે છે. શત્રુંજયઉદ્ધારની કામગીરી એ જ સંભાળે છે એમાં એમની સજ્જતા દેખાઈ આવે છે. પછીથી પ્રતિષ્ઠાવિધિનાં સર્વ કાર્યોને અધિકાર પણ એમને જ સોંપવામાં આવે છે. સૌભાગ્યરત્નસૂરિ વિદ્યામંડનસૂરિના શિષ્ય હતા. 'પ્રબંધમાં એમનો ઉલ્લેખ કેવળ સૌભગ્યરત્ન તરીકે છે અને શૃંગારમંજરી'માં સૌભાગ્યરત્નસૂરિ તરીકે, એટલે સૂરિ એ પછીથી, સં. ૧૫૮૩થી સં. 1614 દરમ્યાન બન્યા હશે એમ જણાય છે. એમનો એક પ્રતિમાલેખ સં. ૧૬૩૪નો નોંધાયેલ છે. વિઘામંડનસૂરિ પછી એ ગચ્છનાયક બન્યા હોવાનો સંભવ છે. વિવેકમંડન પાઠક (ઉપાધ્યાય) વિનયમંડનના શિષ્ય હતા. એ વાસ્તુશાસ્ત્રના જાણકાર હતા અને તેથી શત્રુંજયઉદ્ધાર વખતે શિલ્પીઓને માર્ગદર્શન આપવાની કામગીરી એમને સોંપવામાં આવી હતી. ચિતોડમાં પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરવા એમને મોકલવામાં આવ્યા તે એમનું સમુદાયમાં જે ગૌરવભર્યું સ્થાન હતું તે બતાવે છે. જયવંતસૂરિ પણ ‘શુંગારમંજરી'માં એમને ‘સકલ ગુણના સ્થાન” તથા “કુલમંડન' તરીકે ઓળખાવે છે. વિવેકધીરગણિ વિનયમંડનના શિષ્ય હતા. વિવેકમંડનની જેમ તેઓ પણ
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy