________________ શત્રુંજય તીર્થોદ્ધારના પ્રતિકાતા સૂરિવરનું વંશવા વિજયરત્નસૂરિ ધર્મરત્નસૂરિત વિઘાડનસૂરિ વિનયમંડન ઉપાધ્યાય વિવેકધીરગણિ જ્યવંત પંડિત 1. જયમંડન 2. વિવેકમંડન 3. રત્નસાગર 4. સૌભાગ્યરત્નસૂરિ 5. સૌભાગ્યમંડન > ક્ષમાપીર નિપુણા દલાલે (ઋષિદત્તા રાસ, પ્રસ્તા. પૃ. 5) તથા કનુભાઈ શેઠ (શૃંગારમંજરી, પ્રસ્તા. પૃ. 9) આ વંશવૃક્ષો ઉતાર્યા છે. | વિવેકધીરગણિએ રચેલા “શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ'માંના ઉલ્લેખોને આધારે આ વંશવૃક્ષ રચવામાં આવ્યું છે. પરંતુ એ જયવંત પંડિતનું નામ પ્રબંધમાં નથી, એ એમની “શૃંગારમંજરી' વગેરે કૃતિઓને આધારે મૂકવામાં આવ્યું ઉલ્લેખોનાં અર્થઘટનના પ્રશ્નો છે. તે ઉપરાંત જયવંત પંડિતે પોતાના શૃંગારમંજરી' એ ગ્રંથમાં જે ગુરુશિષ્ય પરંપરા આપી છે તેની સાથે એ મેળમાં નથી. જેમકે વિવેકપંડન અને સૌભાગ્યમંડનને વંશવૃક્ષમાં વિદ્યામંડનસૂરિના શિષ્યો કહેવામાં આવ્યા છે ત્યારે “શૃંગારમંજરી'માં એમનો નિર્દેશ વિનયમંડના ઉપાધ્યાયના શિષ્યો તરીકે છે. વિવેકધીરગણિને વંશવૃક્ષમાં વિનયમંડન ઉપાધ્યાયના શિષ્ય કહેવામાં આવ્યા છે, જ્યારે “શૃંગારમંજરી'માં એમનો તેમજ સમાધીર, યમંડન તથા રસાગરનો નિર્દેશ જ નથી. સૌભાગ્યરત્નસૂરિને બન્ને સ્થાને વિદ્યામંડનસૂરિના શિષ્ય તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે. નવાઈની વાત છે કે જેનગૂર્જર કવિઓ' (ભા. 2, પૃ. ૩૪-૭૫)માં ‘શૃંગારમંજરી'ની પ્રશસ્તિ ઉતારનાર મોહનલાલ દલીચંદ દેશાઈને તથા ‘શૃંગારમંજરી'નું સંપાદન કરનાર કનુભાઈ શેઠને આ વિસંગતિ લક્ષમાં આવી નથી અને નિપુણા દલાલે તો ‘શૃંગારમંજરી'ની પ્રશસ્તિનો કેટલોક ભાગ ઉતારીને (નામનિર્દેશવાળી પંક્તિઓ જ એમણે તારવી લીધી છે તેથી એમાંથી ગુરુશિષ્ય પરંપરાનું ચોખ્ખું ચિત્ર ઉપસતું નથી) એને આધારે પોતે વંશવૃક્ષ