SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનદન : થયા હતા. સ્થાનકવાસી સ`પ્રદાયના સમાગમથી જે લેાકેાએ મૂર્તિપૂજાને છેાડી હતી, તેઓએ પાછી મૂર્તિ પૂજા શરૂ કરી. હેાળીના તહેવારમાં લેાકેા ગાંડા માણસા માક વર્તાતા, તે બધું મહારાજશ્રીના ઉપદેશના કારણે બંધ થયું, લેાકેા શ્રદ્ધાયુક્ત થયા, શકિત અનુસાર સૌએ જાતજાતનાં પચ્ચખાણા લીધાં અને લેકમાં અપૂર્વ આનંદ ફેલાયા. ચામાસા ખાદ સુરતથી નવસારી પધારતાં મહારાજ સાહેબે ત્યાંના સંઘને મંદિરને જીર્ણોદ્ધાર કરવાની પ્રેરણા આપી અને સંઘે જીર્ણોદ્ધાર કરાવ્યેા.૨ ૮ – પટેલની વાડી નવસારીથી વિહાર કરતાં અમલસાડ–બીલીમેારા-વલસાડ-પારડી-બગવાડા વગેરે ગામેાની ફરસના કરતાં ગુરુદેવ દમણ પધાર્યાં. એ વખતે લેાકાને આજના જેટલી અશાંતિ અને ઉપાધિ ન હતા. ગુરુદેવને એક ગામથી બીજે ગામ લેાકેા પહોંચાડવા આવતા અને આગળના ગામવાળા સામે લેવા આવતા. આવા પ્રસંગે રસ્તા પણ મંગળમય ખની જતા અને લેાકેા મહારાજશ્રીની જય ખેલતા. દમણથી વાપી, દહાણુ વગેરે ગામેા ફરી મહારાજશ્રી વાણુગામ આવ્યા. ત્યાં જંગલ વચ્ચે સૌરાષ્ટ્રવાસી એક પટેલની વાડીમાં ગયા. પટેલે મહારાજ સાહેબનાં દર્શન કર્યાં કે તેના ભાવેાલ્લાસમાં વધારા થયા, કારણ કે મહારાજ સાહેબની ભવ્ય દેહાકૃતિ, ઢીંચણ સુધી પહેાંચે તેવા લાંખા હાથ અને તેમની સૌમ્ય મુખાકૃતિ કેઇને પણ શાંતિ ઉપજાવે તેવાં હતાં. પટેલે મહારાજશ્રીને વાડીમાં સ્થિરતા કરવા વિનતિ કરી, એટલે મહારાજ સાહેબે તેની વિનંતિના સ્વીકાર કર્યાં. મહારાજ સાહેબે પટેલને ક્તિના લાભ, સાધુસંતની સેવાના લાભ, વગેરે ખાખતા સમજાવી, એટલે પટેલે ત્યાંજ નિયમ લીધે કે આ રસ્તેથી જે કેાઇ સાધુસંત પસાર થશે, તેની અવશ્ય ભકિત કરીશ. આ પટેલના વારસદારાએ તેમના વડીલની સેવાભાવનાને ૨. નવસારી સંધને જીર્ણોદ્ધારની પ્રેરણા આપતી વખતે મહારાજશ્રીએ સૂચના આપી હતી કે છાઁદ્ધાર કરાવતી વખતે મૂળ નાયક ભગવાનને ગાદી પરથી ફેરવવા નહિ. ગુરુદેવનું વચન ધ્યાનમાં રાખી ત્યાંના આગેવાન શેઠ નગીનચંદ જીણુજી તથા અમરચંદ લખમાજી, રામાજી પ્રેમાળ, ઝવેરચંદ ઠાકરશી અને તેમચંદભાઇ વગેરે શેઠીયાઓએ તે પ્રમાણે જ જીર્ણોદ્ધાર કરાવ્યેા. સ. ૧૯૮૮ માં મહારાજશ્રીના વયેવૃદ્ધ શિષ્યરત્ન શ્રી દેવમુનિજી મહારાજના હસ્તે પ્રતિષ્ઠા થઇ હતી, જે પ્રસંગે ભકિત મુનિ અને નિપુણમુનિ પણ એમની સેવામાં હાજર હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy