________________
શ્રી મોહનલાલ અર્ધ શતાબ્દી ગ્રંથ: મોહનલાલજી બિરાજે છે, એમને મળે, એટલે તમારે અસંતેષ ટળી જશે. ખરેખર! મહાપુરુષના હૃદય પણ અત્યંત સરળ અને મૃદુ હેય છે.
એ જમાનામાં અમેરિકાની ચીકાગોની સર્વધર્મપરિષદમાં સ્વ. વીરચંદ રાઘવજી શ્રીમદ્ આત્મારામજી મહારાજના આશીર્વાદ લઈ હાજરી આપવા ગયા હતા. ત્યાંથી આવ્યા બાદ શ્રી વીરચંદભાઈની બાબતમાં જૈન સમાજમાં ભારે ઉહાપોહ જાગે. મુંબઈનું વાતાવરણ એ વખતે ભારે ઉકળાટભર્યું અને કલેશમય થઈ ગયું. તે સમયે શ્રી મોહનલાલજી મહારાજ મુંબઈમાં બિરાજતા હતા. શ્રી આત્મારામજી મહારાજને જ્યારે મુંબઈના ઉગ્ર વાતાવરણની ખબર પડી, ત્યારે તેમણે મુંબઈસંઘના આગેવાન ગૃહસ્થને કહેવરાવ્યું કે આ બાબત શ્રી મોહનલાલજી મહારાજ પાસે રજૂ કરવી, અને તેઓશ્રી જેમ સલાહ આપે, તે મુજબ કરવું. દીર્ધ દષ્ટા શ્રી મોહનલાલજી મહારાજ પાસે જ્યારે આ પ્રકરણ આવ્યું, ત્યારે મહારાજશ્રીએ એ ફેંસલો આપ્યો કે શ્રી વીરચંદ ગાંધીએ જિનેન્દ્ર પ્રભુની એક સ્નાત્ર પૂજા ભણાવવી અને મુંબઈના સકળ જૈન સંઘે તે નિર્ણયનો સહર્ષ સ્વીકાર કર્યો.
સં. ૧૯પરમાં શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગગમનના સમાચાર ચારે તરફ ફરી વળ્યા. શ્રી મોહનલાલજી મહારાજ એ વખતે વાલકેશ્વર ચુનીલાલ સાંકળચંદના બંગલામાં બિરાજતા હતા. એમને આ ખેદજનક સમાચાર આપવામાં આવ્યા, ત્યારે ભારે આઘાત લાગ્યો અને કહ્યું: “જૈન શાસનને એક મહાન સ્તંભ આજે આપણું વચ્ચેથી અદશ્ય થયો છે. મારી જમણી ભુજા ગઈ હોય તેવું મને જણાય છે. જેના સમાજના સ્તંભ જેવા આ બંને મહાપુરુષ એક બીજાનું ઉત્કર્ષપણું બતાવતા અને ગૌરવ વધારતા, તેથી જ એ જમાનામાં એમની બોલબાલા હતી. ભારતને સમગ્ર જૈન સમાજ આપણ આવા ગુરુદેવ માટે ગૌરવ અનુભવતે.
૭– મહારાજશ્રીનું સુરતનું ચોમાસુ સુરતના જૈન અગ્રેસર આચાર્યશ્રી આત્મારામજીની વાત ધ્યાનમાં રાખી તીર્થયાત્રા અને ગુરુવંદનાથે પાલીતાણા શ્રી. મેહનલાલજી મહારાજ પાસે ગયા. અને સુરતમાં ચોમાસું કરવા માટે મહારાજશ્રીને વિનંતિ કરી. મહારાજશ્રીએ સુરતના જૈનોની વિનંતિ માન્ય કરી.
મહારાજ સાહેબના સુરતના પ્રવેશ વખતે સુરતના સંઘને આનંદ અદ્દભુત અને અલૌકિક હતો. શહેરના મુખ્ય રસ્તાઓને ધ્વજાપતાકાઓથી શણગાર્યા હતા. સુરતીઓના સાંબેલા અને વાજીત્રની સુરતીએ આખા શહેરને આકર્ષી લીધું હતું. જાળીએ, માળિયે અને ઝરૂખે માણસની ઠઠ જામી હતી. સુરતી લેકે મહારાજશ્રીની વાણીથી ભારે પ્રભાવિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org