________________
૫
ઉવસગહરત. એક અધ્યયન
અર્થક૫લતા (પૃ. ૧૫) માં “ગ્રહ એટલે ભૂત, પ્રેત, બ્રહારાક્ષસ ઈત્યાદિ અથવા અશુભ ગોચરવર્તી સૂર્યાદિ, “મારિ એટલે સર્વવ્યાપક મૃત્યુરૂપ અશિવ, તેમજ દુષ્ટ જવર એટલે એકાંતર, દ્વિતીયાંતર, તૃતીયાંતર, ચાતુર્થિક (ચથિયે) વગેરે એમ કહ્યું છે. * ફુદુ અને ૪ ને પૃથગ્ર ગણીને પણ અહીં અર્થ કરાવે છે. તેમ કરતી વેળા દુષ્ટો એટલે દુર્જને અથવા ગુસ્સે થયેલા નૃપતિઓ અને જવ એટલે શીતજવર વગેરે એમ કહ્યું છે.
ઉવસામ” ના સંબંધમાં આર્ષર્વને લઈને હસ્વને અભાવ એમ કહ્યું છે અને એના સમર્થના આવસ્મયની નિષુત્તિ (ગા. ૧૧૮) નું ઉદાહરણ અપાયું છે. ' - સિદ્ધિચન્દ્રગણિએ બીજી ગાથાના અર્થ અર્થકહ૫લતા પ્રમાણે આપ્યા છે. એમણે અઢાર અક્ષરના મંત્ર તરીકે નિમ્નલિખિત મંત્ર દર્શાવ્યા છે –
“નસિકગારિફ(વિ)afજળકુર્કિના” એમણે ૨૮ અક્ષરના મંત્ર તરીકે ઉલ્લેખ તે કર્યો છે, પણ તે સ્પષ્ટ રીતે આ નથી. એમણે “ગ” તરીકે કાસ, શ્વાસ, ભગંદર, કુછ ઇત્યાદિ એમ કહ્યું છે.
હર્ષકીર્તિસૂરિએ ૧૮ અક્ષરને મંત્ર ઉપર મુજબને આપ્યો છે, જ્યારે ૨૮ અક્ષરના મત્ર તરીકે નીચે મુજબ આપે છે.
"ॐ ह्री श्री अहं नमिऊण पासविसहर वसह जिणफुलिंग में ही श्री अहं नमः” આ મંત્રમાં તે ૨૮ નહિ પણ ૩૦ અક્ષરે છે તેનું કેમ એ વિચારવું ઘટે.
આ સૂરિએ ગહન અર્થ ભૂત, પ્રેત, પિશાચ વગેરેને આવેશ એમ કર્યો છે. સાથે સાથે ગોચરમાં અશુભ એવા સૂર્યાદિ એવો અર્થ પણ કર્યો છે.
વિશિષ્ટ અર્થે હર્ષકીર્તિસૂરિએ પૃ. ૧૭ માં “જિાિમ” ના નીચે મુજબ જે બે અર્થે કર્યા છે તે અન્યત્ર જણાતા નથી –
(૧) વિષધર એટલે સર્પ અને સ્ફલિંગ એટલે અગ્નિને કણ. સર્પો અને અગ્નિના કણેના અને એના ઉપલક્ષણથી અન્ય ક્ષુદ્ર ઉપદ્રવના નિવારકને.
(૨) “વિસહરકુલિંગ” નામવાળાને.
આ શબ્દગુચ્છના અર્થના સંબંધમાં અથકલપલતા (પૃ. ૧૬) માં કહ્યું છે કે “વિષધરફુલિંગ મંત્ર ભગવાનના નામથી ગર્ભિત છે એટલે એ મંત્ર સ્તુતિરૂપ છે. તેમ છતાં ભગવદવાચક “યુષ્ય શબ્દાદિને અભાવ છે તેનું શું એમ કઈ કહે છે તેથી ઉપર્યુક્ત શબ્દગુચ્છના બે વિશિષ્ટ અર્થે અમે દર્શાવીએ છીએ – ૨૮. એમણે દુષ્ટના દુ અને દુશ્મન એમ બે અર્થ ક્યાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org